વારંવાર અકસ્માત, વહેલી તકે સર્કલને યોગ્ય બનાવવા માંગ
જસદણના આટકોટરોડ બાયપાસ પાસે વર્ષો પહેલાં ત્યારના તંત્રવાહકોએ એક સર્કલ બનાવ્યું હતું પણ સમય જતાં રોડ રસ્તામાં ફેરફાર થતાં હાલ આ સર્કલને કારણે અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું હોવાં છતાં તંત્ર ગાઢ નિંદ્રા કરી રહ્યું હોય એવો ઘાટ ઘડાયો છે.
Read Saurashtra Kranti E-Paper here
જસદણમાં જે પાયાની જરૂરિયાત સુવિધા છે તે પુરી કરવામાં વર્ષો નીકળી જાય છે પણ હાલમાં જે સર્કલ હયાત છે તે સર્કલ જરૂરિયાત ન હોવા છતાં બનાવી નાખવામાં આવ્યું હતું એ કારણ દરેકને ખબર છે પણ જસદણના નાગરિકો અને રાજકારણીઓ મારૂ શું? મારે શું? એવી નિતિરિતિમાં રાચતાં હોવાથી સત્ય ગૂંગળાઈ જાય છે.
Read About Weather here
હાલ આ બાયપાસ સર્કલ પાસે વારંવાર અકસ્માત બનતાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓના જીવ ઉચક બની ગયાં છે આ બાયપાસ પાસે ચાર રસ્તા ફાટતાં હોય ત્યારે વાહનચાલકોને કેવી રીતે વાહન ચલાવવું તે સર્કલ નડતરરૂપ હોવાથી ખબર ન પડતી હોય એટલે આ રોડ પર વારંવાર અકસ્માતો સર્જાય છે ત્યારે જો તંત્રવાહકોને પ્રજાનું હૈયે હિત હોય તો આ સર્કલની જાતતપાસ કરી સર્કલ સરખું બનાવડાવે નહિતર અકસ્માતનો સિલસિલો ચાલું રહેશે તો અનેકના મોત થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here