પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર પાઠતા કુંવરજીભાઇ બાવળીયા
જસદણ નગરપાલિકાના વોર્ડ નં.6નાં ભાજપના સભ્ય અને જસદણ શહેર ભાજપના મહિલા મોરચાના કાર્યકારી પ્રમુખ સોનલબેન (માધવીબેન) તેજશભાઇ વસાણીએ જસદણ શહેર ભાજપના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધાનો પત્ર જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ સીમાબેન દોશીને મોકલાવાયેલ હતો.
Visit Saurashtra Kranti Homepage here
જસદણ ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી રહેલા જસદણ પાલીકાના સભ્ય માધવીબેન વસાણીએ રાજીનામાં પત્રમાં એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુવરજી બાવળીયાના કાર્યક્રમમાં નહીં જવા માટે જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણી દ્વારા દબાણ કરવામાં આવે છે અને ધમકીઓ પણ અપાય છે.
રાજીનામાં પત્રમાં મહિલા અગ્રણીએ એવો આક્ષેપ કર્યો હતો કે, કુંવરજીભાઇ બાવળીયાના કાર્યક્રમમાં હાજર ન રહેવા માટે અમોને અવાર-નવાર સુચનાઓ આપવામાં આવતી હોવાથી કંટાળીને પ્રમુખ પદથી રાજીનામું આપું છું. જસદણ શહેર ભાજપના મહિલા મોરચાના કાર્યકારી પ્રમુખ સોનલબેનએ ગંભીર આક્ષેપો કરતા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. સોનલબેને કરેલા આક્ષેપો સામે જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણીએ એવું કહયું હતું કે, ત્રાસ આપવાની વાત ઉપજાવી કાઢી છે.
યુપીના પ્રચાર દરમ્યાન ભાજપની કેટલીક કાર્યકરો તરફથી ફરીયાદ આપવી હતી એ સંદર્ભમાં મારે વાતચીત થઇ હતી. એ સીવાય બીજુ કશું થયું નથી. એટલે ધમકી આપવાનો પ્રશ્ર્ન જ નથી. પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને 9 ફ્રેબ્રુઆરીએ પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, હું જસદણ વિંછીયાના ધારાસભ્ય તરીકે મારા મત વિસ્તારના મહિલા કાર્યકારી પ્રમુખ સોનલબેન વસાણી જે તાલુકામાં સક્રિય કાર્યકર્તા છે.
Read About Weather here
સોનલબેન કયારેય પક્ષ વિરૂધ્ધ કામગીરીમાં હોતા નથી. તેઓ હંમેશા પક્ષના તમામ નીતિ નિયમોને અનુસરે છે. જો કોઇ સોનલબેન ઉપર આક્ષેપો લગાવતા હોય તો તેને હું માન્ય ગણતો નથી અને જવાબદારી પૂર્વક લખી આપું છું કે, સોનલબેન સંપુર્ણ પણે ભારતીય જનતા પક્ષને વરેલા છે. તેમના ઉપર લગાવેલા તમામ આક્ષેપોનું હું ખંડન કરૂ છું.(1.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here