જય સિયારામ, જય બાલાજી, જય ગુરૂદેવ હોસ્પિટલ સેવા મંડળ દ્વારા આશાપુરા મંદિર ખાતે કરાયું આયોજન
જય સિયારામ, જય બાલાજી, જય ગુરૂદેવ હોસ્પિટલ સેવા મંડળ દ્વારા સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડિત બાળકોના લાભાર્થે આશાપુરા મંદિર, પેલેસ રોડ ખાતે આગામી તા.15 ને મંગળવારના રોજ સાંજે 6 થી 9:30 સુધી રકતદાન કેમ્પનું આયોજન પ્રવર્તમાન સીઝનમાં રક્તની જરૂરીયાત ઉભી થઇ છે.
સિવિલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિ:શુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને રકતદાન કરી અમૂલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિ:શુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે.
Read About Weather here
સંસ્થાઓ, સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રકતદાન કેમ્પનું પણ આયોજન કરે તો સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્ક આપનાં સ્થળેથી રકતદાન સ્વીકારવા આવશે. નાના કેમ્પ હશે તો પણ થઈ શકશે. તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ ભેટ અર્પણ કરી પ્રોત્સાહીત કરાશે. વિશેષ માહિતી માટે હોસ્પિટલ સેવા મંડળ (મો. 9898613267) પર સંપર્ક કરવા જણાવાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here