ઉમેદવારો પાસે ખોટા સોગંદનામા કરાવી તેમની ભરતી કરવામાં આવે છે: નીતિન ઢાંકેચા
સુધી ગયા છે તે દૂધે ધોયેલા નથી
રાજકોટ જિલ્લા બ્ોન્કમાં પટાવાળાનો ભાવ 45 લાખ
હાલના બેંકના ચેરમેન જયેશ રાદૃડિયા વર્ષે 60થી 70 કર્મચારીની ભરતી કરી ઉમેદૃવારદૃીઠ 45 લાખ વસૂલતા હોવાનો ભાજપના આ જૂથે આક્ષેપ કર્યો છે. નાબાર્ડની ગાઈડલાઈન છે કે 12 ધોરણથી વધુ લાયકાતવાળાને પટાવાળામાં ન લઈ શકાય. આમ છતાં ઉમેદૃવારો પાસે ખોટા સોગંદૃનામા કરાવી તેમની ભરતી કરવામાં આવે છે. બાદૃમાં કોઈ પ્રકારની પરીક્ષા યોજ્યા વગર પ્રમોશન પણ આપી દૃેવાય છે. આ રીતે જયેશ રાદૃડિયાએ કરોડો રૂપિયા ભેગા કર્યાનો આક્ષેપ કરાયો છે. સહકારી સંસ્થામાં ખેડૂત જ સર્વસ્વ હોય છે. જેની સાથે ખેડૂત મતદારો હોય, સહકારી જગતમાં તેનું વર્ચસ્વ હોય છે. પુરૂષોત્તમ સાવલિયા, હરદૃેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા અને વિજય સખિયાએ માત્ર ચાર-પાંચ જ વ્યક્તિ છે, જે આખા ગામમાં ફર ફર કરે છે. એ લોકોના શાસનમાં ભ્રષ્ટાચાર થયો છે એ સૌકોઇ જાણે છે. મારા ખેડૂત ખાતેદૃાર બેંકના સંચાલન અને વહીવટથી સંતુષ્ટ છે.
Visit Saurashtra Kranti Homepage here
મારા માટે એનું સર્ટિફિકેટ મહત્ત્વનું છે. આક્ષેપ કરનાર અરીસામાં પોતાના મોં જોવે અને પછી આક્ષેપો કરે. મારી બેંક ભારતની નમૂનેદાર બેંક છે. અમારા વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો તપાસ કરાવો. જયેશ રાદૃડિયા એવું જણાવે છે કે જે ગાંધીનગર સુધી ગયા છે તે દૂધે ધોયેલા નથી. તો શું અમે ભ્રષ્ટાચાર કર્યો તો તમને પણ ભ્રષ્ટાચાર કરવાનો અધિકાર મળી જાય? જો એમને એવું લાગે છે કે અમે ભ્રષ્ટાચાર કર્યો હોય તો અમારી વિરૂદ્ધ પણ તપાસ કરાવો. અમને કોઈ વાંધો નથી. પરિણામની અમને ચિંતા નથી. નાબાર્ડ અને વિજિલન્સ કમિશનર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જિલ્લા બેંક માટે જે રજૂઆત કરાઈ છે. તેમાં તપાસ માટે સૂચના આપી છે.રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન, ભાજપના પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સામે ભાજપના જ ઢાંકેચા અને સાવલિયા જૂથે મોરચો માંડ્યો છે.
Read About Weather here
આ જૂથે ગાંધીનગરમાં રાજકોટ જિલ્લા બેંકમાં ભરતીકૌભાંડને લઇ જયેશ રાદૃડિયા વિરુદ્ધ રજૂઆત કરી હતી. ભાજપના જ પુરુષોત્તમ સાવલિયા, નીતિન ઢાંકેચા અને વિજય સખિયાએ ગાંધીનગરમાં સહકાર રજિસ્ટ્રારને જણાવ્યુ હતું કે હાલમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં 900 જેટલા કર્મચારીઓની ભરતીમાં મોટું કૌભાંડ આચરાયું છે. વિઠ્ઠલ રાદૃડિયા બેંકના ચેરમેન હતા ત્યારે 2002માં બોર્ડ મિટિંગમાં ઠરાવ કરીને ભરતીની તમામ સત્તા ચેરમેનને આપી દૃેવામાં આવી હતી. નીતિન ઢાંકેચાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લા બેંકમાં પટ્ટાવાળાનો ભાવ 45 લાખ રૂપિયા છે. આ નિયમથી વિરુદ્ધ ભરતી કરવામાં આવી હતી. એ પછી કોઈ જાહેરખબર આપ્યા વગર રોજગાર કચેરીમાંથી નામ મંગાવ્યા વગર કે કોઈ પ્રકારના ઈન્ટરવ્યુ યોજ્યા વગર દૃરેક ઉમેદૃવારની 3 માસના રોજમદૃાર તરીકે પટાવાળા તરીકે ભરતી કરાઈ છે. એક વર્ષ બાદૃ તેને કાયમી કરાતા હતા અને પાંચ વર્ષ પછી તેને ક્લાર્ક તરીકે પ્રમોશન આપી આગળ વધારી દૃેવાતા હતા. નીતિન ઢાંકેચાએ આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here