છ માસ પહેલાના મેમોની વસુલાત કરી ન શકાય, લોકોએ ગભરાવાની જરૂર નથી

છ માસ પહેલાના મેમોની વસુલાત કરી ન શકાય, લોકોએ ગભરાવાની જરૂર નથી
છ માસ પહેલાના મેમોની વસુલાત કરી ન શકાય, લોકોએ ગભરાવાની જરૂર નથી
રાજકોટ શહેરમાં ગઈકાલે ટ્રાફિક એસીપી વી.આર.મલ્હોત્રાએ એક નોટિસ જાહેર કરી હતી. જેમાં ઈ-મેમો બાકી હોય તેવા વાહન ચાલકોને તા.25 જૂન સુધીમાં ઈ-મેમો ભરી દેવા સ્પષ્ટપણે તાકિદ કરવામાં આવી છે કે, જો તેઓ ઈ-મેમોની ભરપાઈ નહીં કરે તો તેની સામે લોક અદાલતમાં કેસ કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે. આ નોટિસને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે અને આજે સવારથી ટ્રાફિક પોલીસ કચેરીની બહાર પેન્ડિંગ ઈ-મેમો ભરવા લોકોની લાંબી કતારો લાગી હતી. નોંધનીય છે કે ઈ-મેમો બાબતે હાઇકોર્ટે પણ રોક લગાવી હતી અને ઇ-મેમો જનરેટ થયાના છ મહિનામાં જો વાહનચાલક દંડ ભરપાઇ ન કરે તો છ મહિનામાં પોલીસ એનસી કેસ દાખલ કરી શકે, અને જૂના ઇ-મેમોના દંડ વસૂલવાનું બંધ કરવા આદેશ કર્યો હતો. છતાં ટ્રાફિક એસીપીએ લોકઅદાલતના મામલે પ્રસિદ્ધ કરેલા મેસેજમાં છ મહિનામાં જનરેટ થયેલા ઇ-મેમો માટે જ તા.25 સુધીમાં દંડ ભરપાઇ કરવો તેવું સ્પષ્ટ નહીં કરતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

નિયમ વિરૂધ્ધ કરેલ નિર્ણયના વિરોધમાં ઇ-મેમા પ્રશ્ર્ને કોર્ટમાં લડત ચલાવી રહેલા એડવોકેટ કિરીટ નકુમ અને હેમાંશુ પારેખે જણાવ્યું છે કે, કાયદાની જોગવાઇ મુજબ છ માસ પહેલાના મેમાની વસુલાત થઇ શકતી ન હોય લોકોએ ગભરાવાની જરૂર નથી. લોકઅદાલતમાં સમાધાનથી કેસોનો નિકાલ કરવામાં આવતો હોય છે. એન.સી.કેસ કરીને સીધો દંડ વસુલ કરી શકતો નથી. લોકોનો કેસ લડવા માંગતા હોય તો પોલીસના મેમાને ચેલેન્જ કરીને કેસ પણ લડી શકે છે.

વધુમાં એડવોકેટ નકુમ અને પારેખે જણાવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટમાં સુરતના સંજય ઇઝાવા દ્વારા પીઆઇસી દાખલ થયેલ જેમાં હાઇકોર્ટ દ્વારા કોઇ પણ ઇ-મેમો ટ્રાફીક બાબતે હુકમ કરવામાં આવેલ નથી. તથા તમામ પક્ષકારોને સાંભળવા માત્ર નોટીસ કરેલ છે. તાજેતરમાં લોકોને મેસેજ તથા પ્રિલીગેશન નોટીસ આપવામાં આવેલ છે. જે બાબતે કાયદાની પ્રવર્તમાન પરિસ્થિતિ તથા અદાલતના હુકમ મુજબ છેલ્લા 6 માસના ઇ-મેમો આવેલ હોય અને તે સંબંધે જો રકમ ભરવામાં ન આવે તો પોલીસ તંત્ર દ્વારા ટ્રાફીક કોર્ટમાં એન.સી.કેસ દાખલ કરવામાં આવશે અને જો વ્યકિત અદાલતમાં ઇચ્છે તો રકમ ભરવાને બદલે એનસી કેસ ઇચ્છે તો રકમ ભરવાને બદલે એનસી કેસ ચલાવી શકશે.

Read About Weather here

કાયદાની જોગવાઇ મુજબ સીઆરપીસી 468 મુજબ દંડને પાત્ર કલમોવાળા મેમો 6 માસથી વધુ સમયનો હોય તો તે વસુલાત પાત્ર નથી તેથી લોકોએ આવા મેસેજ દ્વારા કે નોટીસથી ગભરાવવાની જરૂર નથી તેમ શ્રી નકુમ અને પારેખે જણાવ્યું છે. લોક અદાલતમાં કેસો સમાધાનથી નિકાલ માટે રજુ કરવામાં આવતા હોય છે. જેમાં સમાધાન કરવુ ફરજીયાત નથી અને કોઇ પક્ષકાર ના પાડે તો એનસી કેસ પોલીસ દ્વારા 6 માસના કિસ્સામાં દાખલ કરવાનો રહે છે અને તે કેસ પક્ષકાર અદાલતમાં કાયદાકીય રીતે લડત પણ આપી શકે છે. લોકોને પોલીસના ઉપરોકત નિર્ણયથી ગભરાવવાની જરૂર નથી તેમ એડવોકેટશ્રી નકુમ અને પારેખે જણાવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here