ચોટીલામાં કાલે રકતદાન અને નિદાન કેમ્પ

ચોટીલામાં કાલે રકતદાન અને નિદાન કેમ્પ
ચોટીલામાં કાલે રકતદાન અને નિદાન કેમ્પ

રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા પ્રજાસત્તાક પર્વની વિશિષ્ટ ઉજવણીનું આયોજન

ચોટીલામાં તારીખ 26 જાન્યુઆરી 2022 ને બુધવારના રોજ રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા, લાઈફ બ્લડ બેંક રાજકોટ, જનની હોસ્પિટલ, પ્રિન્સ ડેન્ટલ ક્લિનિક અને તાલુકા હેલ્થ ઓફીસ ચોટીલાના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે પ્રાથમિક શાળા નંબર-2, સાર્વજનિક હોસ્પિટલ સામે, ચોટીલા ખાતે બપોરે 2 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં રાજકોટની સુપ્રસિદ્ધ લાઈફ બ્લડ બેંક દ્વારા રક્તદાતાના આરોગ્યની તપાસણી બાદ લોહી લેવામાં આવશે. સાથે જનની હોસ્પિટલ ચોટીલા અને પ્રિન્સ ડેન્ટલ ચોટીલા ના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ પણ યોજાશે.

જેમાં તમામ પ્રકારના રોગોની વિનામૂલ્યે દવાઓ આપવામાં આવશે તેમજ જરૂર જણાયે લોહી પેશાબના રિપોર્ટ પણ વિઝન લેબ ના સહયોગથી ફ્રીમાં કરી આપવામાં આવશે. 15 વર્ષથી મોટા તમામ લોકો માટે બ્લોક હેલ્થ ઓફીસ ચોટીલાના સહયોગથી કોરોના રસીકરણ કેમ્પ પણ યોજાશે.

Read About Weather here

ચોટીલા તેમજ આસપાસ ના લોકોને આ સેવાકીય કાર્યનો લાભ લેવા વિનંતી કરાઈ છે. વધુ માહિતી માટે રામ-રહીમ ફાઉન્ડેશન ના પ્રમુખ મોહસીનખાન ડી. પઠાણ મો.9228432560 નો સંપર્ક કરવા જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here