ઘંટેશ્ર્વર આવાસમાં માનસિક બીમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

વૃદ્ધે નિત્યક્રમ મુંજબ ઉપરના રૂમમાં યોગાસન કરવા ગયા બાદ ફાંસો ખાઈ લીધો

શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર 25 વારિયા કવાર્ટરમાં માનસિક બિમારીથી કંટાળી ગઢવી વૃધ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર ઘંટેશ્ર્વર 25 વારિયા કવાર્ટરમાં રહેતા દેવીદાનભાઈ ગોવિંદભાઈ ગઢવી (ઉ.65) નામના વૃધ્ધે આજે સવારે પોતાના ઘરે ઉપરના રૂમમાં લોખંડની આડસ સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક વૃધ્ધ નિત્યક્રમ મુજબ યોગાસન કરવા ઉપરના રૂમમા ગયા હતા પરંતુ ઘણો સમય થવા છતાં પરત ન આવતા પરિવારજનોને શંકા ઉપજી હતી જેથી તપાસ કરતા મૃતક વૃધ્ધ લટકતી હાલતમાં મળી આવ્યા હતા.

જેને 108ના ઈએમટીએ મરણ જાહેર કરી પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઈ જયસુખભાઈ હુંબલ અને રાઈટર શીવભદ્રસિંહ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પ્રાથમિક કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

Read About Weather here

પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં તેમને માનસીક બિમારી હોય જેનાથી કંટાળી આ પગલુ ભરી લીધાનું ખુલવા પામ્યું છે.(5.5)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here