ગોવિંદ પટેલ : મહેનત-મજૂરી કરતા ભાજપના કાર્યકર્તાઓને કોરોના નથી થતો

GOVIND-PATEL-ગોવિંદ
GOVIND-PATEL-ગોવિંદ

Subscribe Saurashtra Kranti here

મીડિયા સામે ધારાસભ્ય ગોવિંદ પટેલ લોકોને નિયમો પાવળવાની અપીલ કરે છે

ચૂંટણી બાદ કોરોના વકર્યો છે તેવી ચારેકોર ચર્ચા છે. આવામાં રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં ધારાસભ્યનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય ગોવિંદ પટેલના નિવેદનને કારણે વિવાદ વકર્યો છે. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે વિવાદિત નિવેદન આપ્યું કે, જે લોકો મહેનત કરે તેને કોરોના નથી થતો. ભાજપના કાર્યકરોએ મહેનત કરી હતી. તેથી ભાજપના કોઈ કાર્યકરને કોરોના નથી થયો. આમ, મીડિયા સામે ધારાસભ્ય ગોવિન્દ પટેલ લોકોને નિયમો પાવળવાની અપીલ કરે છે, પણ કાર્યકરોનો બચાવ કરે છે. ગોવિન્દ પટેલ પોતાના કાર્યકરોને નિયમો પાળવા માટે ટોકવાને બદલે બચાવ કરી રહૃાા છે.

Read About Weather here

તો બીજી તરફ, આ વાત કરતા ધારાસભ્યએ પોતે યોગ્ય રીતે માસ્ક પહેર્યું ન હતું. ધારાસભ્ય ગોવિન્દ પટેલે નાકથી નીચેથી માસ્ક પહેર્યું હતું. એક તરફ, યોગ્ય માસ્ક ન પહેરવા પર જનતાને દંડ થાય છે. નાકથી જરા પણ નીચે માસ્ક હોય તો દંડ વસૂલાય છે. સામાન્ય જનતાને પોલીસ અને તંત્ર દંડ ફટકારે છે, ત્યારે આવા નેતાઓ પર સરકાર શું પગલા લેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here