ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્ય સી.આર.પાટીલનો તા.21-22 જુલાઈના રોજ રાજકોટ જીલ્લામાં વન ડે-વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી આપતા જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાની સંયુક્ત યાદીમાં જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો વન ડે-વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ તા.21 ના રોજ ગોંડલ ખાતે તેમજ તા.22ના રોજ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, જીલ્લા સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, ધારાસભ્યઓ જયેશભાઈ રાદડિયા, કુંવરજીભાઈ બાવળીયા, ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક સહિતના હોદેદારઓ ઉપસ્થિત રહેશે.
ગોંડલ ખાતે તા.21 જુલાઈના રોજ વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 1000થી વધુ બાઈક સવારો કેશરી ટોપી-ખેસ સાથે ગોંડલના મુખ્ય માર્ગો ઉપર ફરશે. ગોંડલના મુખ્ય ચોક, બજારોમાં આતશબાજી તથા પુષ્પવર્ષા કરીને બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ ગોંડલ માર્કેટિંગયાર્ડ ખાતે રાજકોટ જીલ્લાના પેજ સમિતિના 50 હજાર સભ્યોનું વિશાળ સંમેલન રાખવામાં આવેલ છે. આ સંમેલનમાં અધ્યક્ષ સી.આર.પાટીલ કાર્યકર્તાઓને આગામી વિધાનસભાની ચૂંટણી અને સંગઠનલક્ષી માહિતી આપી કાર્યકર્તાઓનો જોમ અને જુસ્સો વધારીને કેશરીયો માહોલ સર્જશે.
Read About Weather here
શહેરમાં હેમુ ગઢવી હોલ તેમજ બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર,કાલાવડ રોડ ખાતે વન ટુ વન બેઠકો તથા વિશાળ સંમેલનો યોજવામાં આવશે. આ સંમેલનમાં રાજકોટમાં વકીલો, શિક્ષકો, નિવૃત અધિકારીઓ, સહકારી આગેવાનો, સરપંચઓ, ખેડૂત આગેવાનો, ઉદ્યોગપતિઓ, દિવ્યાંગો, સરકારની સહાયના લાભાર્થીઓ, સાધુ-સંતો તથા સંઘ પરિવારના આગેવાનો સાથે આગામી ચૂંટણીલક્ષી રણનીતિ અંગે સ્થળોએ જુદી-જુદી બેઠકો તથા સંમેલનો યોજવામાં આવશે. તેમ જીલ્લા ભજાપ મીડિયા ઈન્ચાર્જ અરૂણ નિર્મળએ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here