નાના વાછરડા સહિત 8થી 10 જેટલી ગાય પર એસિડ ફેંકવામાં આવ્યું હોવાની જાણ થતાં સ્થાનિકો એકઠા થયા હતા અને આ અંગેની જાણ હિન્દુ સમાજના આગેવાનો સુધી પહોંચી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા હતા
Visit Saurashtra Kranti Homepage here
અને ગાયની હાલત જોઈ તેઓ ચોંકી ઊઠયા હતા. પોરબંદરમાં અસામાજિક તત્ત્વોએ ક્રૂરતા દાખવી ગાયો પર એસિડ ફેંકયું હતું, જેથી આ કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવા માગ કરાઈ છે. પોરબંદરના મેમણવાળા વિસ્તારમાં કોઈ શખસો દ્વારા ગાયો પર એસિડ ફેંક્યું હોવાનું સ્થાનિકોની નજરે ચડ્યું હતું.
આગેવાનો નિલેશ કિશોરે જણાવ્યું હતું કે ગાય પર એસિડ ફેંકવાનું કૃત્ય અસામાજિક તત્ત્વોએ કર્યું છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. આવું કૃત્ય કરનાર તત્ત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી
અને આજે કાર્યકરો દ્વારા કીર્તિમંદિર પોલીસ મથકના પીઆઇ ને આવેદન પત્ર આપવા માટે નું આયોજન કરવામાં આવ્યું છે. તાકીદે અસામાજિક તત્વોને પકડવામાં આવે તેવી માંગ સાથે આવેદન પાઠવવામાં આવશે તેવુ પણ જણાવ્યું હતું.
મહેસાણા જિલ્લામાંના વિસનગર શહેરમાં એક ક્રૂર ઘટના બની છે. જેમાં કાંસા એન.એ.વિસ્તારમાં ફરતા ત્રણ જેટલા આખલાઓ પર અજાણ્યા ઈસમો દ્વારા એસિડ ફેંકી માનવતાને લજવતું કામ કરવામાં આવ્યું છે. ત્રણ આખલા પર એસિડ ફેંકતા સ્થાનિક લોકોની મદદથી આકલાઓને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
આણંદમાં અજાણ્યા નારાધમોએ મૂંગા ગૌવંશ પર નિર્દયી અત્યાચાર કર્યાની ઘટના સામે આવી છે. શહેરની ત્રણ જાહેર જગ્યા ઉપર ગૌ વંશ પર અજાણ્યા નારાધમોએ એસિડ એટેક કરતા નગરજનો અને ગૌ સેવકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
Read About Weather here
નગરમાં ગૌ વંશને છુટા મૂકતા પશુપાલકો અને નગરપાલિકા તંત્ર આ બાબતે કોઈ નક્કર આયોજન કરે તેમ નગરના જીવદયા પ્રેમીઓ જણાવી રહ્યા છે.વળી આ એસિડ એટેકથી પીડિત બે ગૌ વંશનું મોત થતાં ગૌ-સેવકો આંદોલિત થયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here