ક્રૂરતાની દરેક હદ પાર

ક્રૂરતાની દરેક હદ પાર
ક્રૂરતાની દરેક હદ પાર
બાળક સાથે એવી ક્રૂરતા કરવામાં આવી છે કે જેને સાંભળીને સ્થાનિક વિસ્તારના લોકોની સાથે સાથે બાળકના શબનું પંચનામું કરવા ગયેલી પોલીસવાળાઓને પણ કંપારી છૂટી ગઈ હતી. ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં દસ વર્ષના બાળકની નિર્દય હત્યાની ઘટના સામે આવી છે. બાળક સાથે કાળજું કંપાવી દે એવી ક્રૂરતા કરવામાં આવી છે. ખેતરમાંથી બાળકની નગ્ન લાશ મળી આવી છે. તેના ચહેરા પર સિગારેટના ડામ આપવામાં આવ્યા છે, એક આંખમાં ખીલી મારવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

બાળકના ગળા પર જૂતાંનાં નિશાન મળ્યાં છે. બાળક બે દિવસ પહેલાં ગુમ થયું હતું, જેની લાશ મંગળવારે મળી હતી. બાળકની હત્યા કરનાર લોકોએ તેની આંખ પણ ફોડી નાખી છે. આંખ પાસેથી એક ખીલી મળી છે. શંકા છે કે આંખમાં ખીલી મારીને આંખ કાઢવામાં આવી છે. બાળકના ગળા પર જૂતાંનાં નિશાન મળ્યાં છે, જેથી એવી પણ આશંકા કરવામાં આવે છે કે બાળકની હત્યા કર્યા પછી તેનું ગળું પગથી કચડવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો.

બાળકની બાજુમાંથી બે ગ્લાસ અને એક દારૂની બોટલ મળી છે. શંકા છે કે હત્યારા બે હશે અને તેમણે દારૂ પીધા પછી તડપાવીને બાળકની હત્યા કરી છે. બાળકના ચહેરા પર સિગારેટના ડામ આપ્યાનાં નિશાન પણ મળ્યાં છે. હત્યા પછી બાળકને જમીન પર ઘસડ્યો હોવાનાં પણ નિશાન મળ્યાં છે. બાળકના શરીરનો પાછળનો ભાગ કાળો પડી ગયો હતો.આ કેસમાં પોલીસની બેદરકારી પણ સામે આવી છે, કારણ કે પરિવારજનોનું કહેવું છે કે રવિવારે બાળક ગુમ થતાં તેઓ સોમવારે પોલીસ ચોકી અને પોલીસ સ્ટેશન પણ ગયા હતા, પરંતુ બંને જગ્યાએ પોલીસે તરત કાર્યવાહી કરી નહિ અને બીજા દિવસે આવવા કહ્યું. મંગળવારે બાળકની લાશ મળી.

હાલ બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.આ વિશે કાનપુર આઉટરના એસપી અજિત સિન્હાએ કહ્યું હતું કે બાળકના મોતમાં પોલીસની જે બેદરકારી સામે આવી છે, એ વિશે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમમાં જે તથ્યો બહાર આવશે એ પ્રમાણે એક્શન લેવામાં આવશે. અત્યારે પરિવારજનોની ફરિયાદના આધારે અજાણ્યા લોકો પણ હત્યાના આરોપ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ બાળક સાથે કુકર્મ થયું હોવાની પણ આશંકા છે, પરંતુ પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી તેઓ કોઈ ચોક્કસ ખુલાસો કરી શકે છે. 10 વર્ષના બાળકની હત્યા પાછળ તંત્ર-મંત્રની આશંકા પણ છે, કારણ કે અઢી વર્ષ પહેલાં કાનપુર આઉટરના ઘાટમપુરના ભદરસ ગામમાં એક બાળકની ક્રૂર હત્યા કરીને તેનું કાળજુ કાઢ્યું હોવાની ઘટના સામે આવી હતી.

Read About Weather here

આ હત્યા દિવાળીના દિવસે ગામના જ એક પતિ-પત્નીએ કરાવી હતી અને તેમનું વાંઝિયાપણું દૂર કરવા આ બાળકીનું કાળજું કાઢીને તંત્ર-મંત્રની વિધિ કરવામાં આવી હતી.કાનપુરમાં છેલ્લા કેટલાક મહિનાથી બાળક સામે ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. બે દિવસ પહેલાં પણ એક બાળકનું શંકાસ્પદ રીતે મોત થયું હતું, જેની તપાસ અત્યારે ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here