લુપ્ત થઇ રહેલ હાલારી ગધેડાની પ્રજાતિને સરક્ષણ આપવા પહેલ
ખેડૂતો ની જેમ માલધારીઓને પણ લોન મળશે:હાલારી ગધેડાની પ્રજાતિમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી લુપ્ત થતી જાતિને સરક્ષણ અપાશે:કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા
ઉપલેટા તાલુકાના કોલકીમાં સૌરાષ્ટ્ર માંથી લુપ્ત થઈ રહેલ હાલારી ગધેડાની પ્રજાતિને બચાવવા અને સરક્ષણ આપી પ્રજાતિનો વિકાસ થાય સાથે સાથે માલધારીઓનો પણ સર્વાંગી વિકાસ થાય એ હેતુ સાથેનું માલધારી સંમેલન મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરીના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિ માં સૌરાષ્ટ્ર ના માલધારીઓ નું સંમેલન યોજાયું
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે માલધારીઓ નો સર્વાંગી વિકાસ થાય અને તેમના દ્વારા નિભાવવામાં આવે છે
Visit Saurashtra Kranti Homepage here
તે પશુધનનો વિસ્તાર અને વિકાસ થાય તે માટે કે .સી .સી . મુજબ ખેડૂત ને લોન મળે છે તે મુજબની લોન માલધારીઓને આપવાનો નિર્ણય સરકારે લીધો છે તેમાં બેંકને આપવાનું થતું વ્યાજ રાજ્ય અને કેન્દ્ર સરકાર સહાયના રૂપ માં આપશે આ ઉપરાંત માલધારી ના પશુધન ધેટા-બકરાની ઉનની ખરીદી પણ સરકાર તરફથી થાય તે માટે ની વ્યવસ્થા આગામી સમયમાં કરવામાં આવે તેવી પ્રક્રિયા કરાય રહી છે
Read About Weather here
હાલમાં કેન્દ્ર સરકારના ધ્યાને આવેલ આ હાલારી ગધેડાની પ્રજાતિ લુપ્ત થઈ રહેલ છે તે વાત ધ્યાને આવેલ છે તે બાબતે પણ આ લુપ્ત થઇ રહેલ હાલારી ગધેડાની પ્રજાતિ ને સરક્ષણ આપી આઇ વી એફ કે અન્ય ટેકનોલોજી નો ઉપયોગ કરી આ પ્રજાતિને બચાવીને તેની સંખ્યા વધે તેવા તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવશે. કેમ કે આ હાલારી ગધેડા નો નિભાવ ખૂબ જ સામાન્ય છે પરંતુ તેની ઉપયોગિતા વધુ છે કોઈને નુકશાની ન પહોંચાડતું નિર્દોષ પ્રાણી છે એનું દૂધ પણ ખૂબ જ કીમતી છે.
આ પ્રસંગે જિલ્લા બીજેપી પ્રમુખ મનસુખ ખાચરિયા, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રવીણ માકડિયા, અગ્રણી કિરીટ પાદરીયા તેમજ પશુપાલન વિભાગ,ડેરી વિભાગમાંથી ડો ફાલ્ગુની ઠાકર, ભૂષણ ત્યાગી સહિત સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત માલધારી ભાઈઓ અને બહેનોને પશુપાલન અંગેનું વિવિધ માર્ગદર્શન આપેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here