વિખ્યાત કથાકાર તથા શ્રીમદ ભાગવત પારાયણનું સમગ્ર વિશ્વને રસપાન કરાવનાર પૂ.જીગ્નેશદાદાના ઘરઆંગણે તેમજ મહાનગરપાલિકાના રોશની સમિતિના ચેરમેન અને કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગર તથા પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગરના જન સંપર્ક કાર્યાલય પર પાવન પગલાનો અનેરો અવસર તેમના દિવ્ય વિચારો અને અધ્યાત્મિક ભાવનાઓ સાથે સત્સંગનો લાભ પ્રાપ્ત થયો.
આ તકે, ડાંગર પરિવાર દ્વારા તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ જીજ્ઞેશદાદાએ લોકોને પ્રેરણાદાઈ પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે રોશની સમિતિના ચેરમેન અને કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, મેઘાભાઈ ડાંગર, હિતેશભાઈ ડાંગર, શૈલેષભાઈ ડાંગર, હરીશભાઈ પાંડે, આકાશભાઈ દાવડા રાજન અદા, ભાર્ગવભાઈ ઠાકર, ભરતભાઈ પટેલ, સરોજબેન ડાંગર, ગીતાબેન ડાંગર, મીરાબેન ડાંગર, દેવિકાબેન ડાંગર, લક્ષ્મીબેન સવસેટા, ખુશ્બુબેન દાવડા, સોસાયટીના પ્રમુખ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.