રેડિએશનની પણ આવશ્યકતા નહીં પડે: અમેરિકી નિષ્ણાંતોનો દાવો
સતત સંશોધન થઇ રહ્યું હોવા છતાં હજુ પણ જીવલેણ ગણાતા કેન્સરનાં રોગનાં દર્દીઓ માટે એક રાહતરૂપ અહેવાલ બહાર આવ્યો છે. નિષ્ણાંતોએ હાથ ધરેલા સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે, કેન્સરની સારવાર માટે હવે કેમોથેરપી અને રેડિએશન થેરપીની જરૂર નહીં પડે. નવી સારવાર પધ્ધતિ હાથ લાગી છે.
Visit Saurashtra Kranti Homepage here
અમેરિકાનાં ક્લીવલેન્ડની કલીનીકનાં વૈજ્ઞાનિકો અને અલ્હાબાદ યુનિવર્સિટીનાં પ્રોફેસર મુનીશ પાંડે સહિતનાં 11 વૈજ્ઞાનિકોનો ટીમ દ્વારા ખાસ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેનો અહેવાલ પ્રતિષ્ઠિત સમાહિકમાં પ્રગટ થયો છે.
એક એવી નવી સારવાર પધ્ધતિ શોધવામાં આવી છે. જેનાથી કેન્સરનાં દર્દીઓને કેમો અને રેડીએશનની સિધ્ધિ સારવારથી અને તેની આડઅસરોથી બચાવી શકાશે. નવી સારવાર પધ્ધતિનો ઉંદરો પર કરાયેલો પ્રયોગ સફળ રહ્યો છે. તેવું સંશોધકોએ જણાવ્યું છે. હવે માનવ શરીર પર પ્રયોગો શરૂ થનાર છે.
Read About Weather here
મુનીશ પાંડેએ કહ્યું હતું કે, કીમો સારવાર ખૂબ જ પીડાદાયક હોય છે. કેન્સરનાં કોષોને મારવા જતા શરીરમાં ઈમ્યુનીટી ઘટે છે અને એલર્જી પેદા થાય છે. અત્યારે પ્રારંભિક રીતે નવી સારવાર અને દવા પધ્ધતિને એમઆઈઆર-21 નામ આપવામાં આવ્યું છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here