ચા નો સગડો સાઈડમાં રાખવા બાબતે સમજાવવા જતા વેપારી પર બન્ને શખ્સો તૂટી પડી હાથ પગ ભાંગી નાખ્યા
શહેરના કેનાલ રોડ પર અરિહિંત કોમ્પ્લેક્ષમાં શીંગ દાળિયાની દુકાન ધરાવતા વેપારીને નજીવી બાબતે બે ચાના ધંધાર્થીએ ધોકા -પાઇપ વડે હુમલો કરી હાથ પંગ ભાંગી નાખ્યાની ફરિયાદ નોંધાવી છે.
Subscribe Saurashtra Kranti here
મારમારીના બનાવ અંગે આંનદ નગર કોલોનીમાં બ્લોક નંબર22માં રહેતા અજીજ ઇકબાલભાઇ વિરાણી (ઉ.વ40 )એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આરોપી લાલાભાઇ ભરવાડ,ડાયાભાઇ ભરવાડ સામે નજીવી બાબતે ધોકા -પાઇપ વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખી ગંભીર ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે.
એસ.આઈ રામ હાથલિયાએ મારમારી,મહા વ્યથા ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેફરિયાદમાં અજીજ વિરાણીએ જણાવ્યું હતું કે પોતે કેનાલ રોડ પર અરિહંત કોમ્પ્લેક્ષમાં સોના સીંગ નામની દુકાન ધરાવે છે.
બાજુમાં ચા પાનની દુકાન ધરાવતા લાલાભાઇ ભરવાડના ચા ના સગળામાંથી આગની ચીંગારી-ધુવાળો ઉડીને આવતો હોવાથી હું સમજાવવા ગયો હતો. જે બાબતનો ખાર રાખી પાડોશી લાલભાઈ ભરવાડ- ડાયાભાઇ ભરવાડએ ભૂંડા ગાળો આપીને પાઇપ વડે હુમલો કર્યો હતો.
Read About Weather here
જેમાં ખોજ આધેડને માથા,હાથ,પીઠના ભાગે ગંભીર ઇજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.મારામારીના બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here