વહેલી સવારથી માઁ ખોડલના દર્શન માટે સેંકડો ભાવિકો ઉમટયા
શ્રી ખોડલ માતાજીને પ્રાગટય દિને અલૌકિક શૃંગાર, નવ કિલોગ્રામનો ડ્રાયફ્રૂટનો હાર અર્પણ
આજે મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતીનો પવિત્ર દિવસ. માઁ ખોડલના પ્રાગટ્ય દિનની વિશ્ર્વ પ્રસિદ્ધ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ખોડિયાર જયંતી નિમિત્તે મા ખોડલને અલૌકિક શણગાર કરવામાં આવ્યા હતા. માઁ ખોડલને ડ્રાયફ્રુટમાંથી બનાવેલો વિશિષ્ટ હાર પહેરાવવામાં આવ્યો હતો. ખોડિયાર જયંતીનો દિવસ હોવાથી વહેલી સવારથી જ દર્શનાર્થીઓ મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા સર્વે ભાવિકોને ખોડિયાર જયંતીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
દર વર્ષે ખોડિયાર જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ખોડિયાર જયંતીના પાવન દિવસની શ્રી ખોડલધામ મંદિરે ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી. ખોડિયાર જયંતીના અવસરે મા ખોડલને વિશિષ્ટ-અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. મા ખોડલને કાજુ, બદામ અને એલચીમાંથી બનેલો 9 કિલો ડ્રાયફ્રૂટનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો.
Read About Weather here
સવારે મંદિરના દ્વાર ખૂલતા જ માઁ ખોડલના ખાસ શણગારના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. અને માઁ ખોડલના અલૌકિક દર્શનનો લ્હાવો ભાવિકોએ લીધો હતો. માઁ ખોડલને કેક ધરવામાં આવી હતી. ખોડિયાર જયંતીના દિવસે ભક્તો શાંતિપૂર્ણ અને કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here