ઓસમ ડુંગર પર ત્રણ સહેલાણી ફસાતાં તેમનું રેસ્ક્યુ કરાયું
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવના ઓસમ ડુંગર પર ભારે વરસાદને કારણે સહેલાણીઓ અધવચ્ચે જ ફસાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે ત્રણ સહેલાણીઓ ફસાતાં સરપંચ, ફાયર બ્રિગેડ અને જિલ્લા વહીવટી તંત્રએ સમયસૂચકતાથી રેસ્ક્યુ કરી તેમનું જીવન બચાવવામાં આવ્યું હતું.