વ્યાપારીઓએ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત
ઉપલેટા ના સોના-ચાંદી એસોસિએશનના વ્યાપારીઓ દ્વારા કરવામાં આવેલ દેશ વ્યાપી બંધને સમર્થન આપી અને વ્યાપારીઓ દ્વારા બંધ પાળવામાં આવ્યું છે ત્યારે વ્યાપારીઓ દ્વારા સોનાના દાગીનામાં હોલમાર્ક (ઇ.ઈં.જ.) ના નવા
Visit Saurashtra Kranti Homepage here
નિયમ ઇં.ઞ.ઈં.ઉ. ના અમલને રદ કરવાની માંગ સાથે દેશ વ્યાપી બંધને સમર્થન કરવામાં આવ્યું છે અને ઉપલેટાના વ્યાપારીઓ દ્વારા દેશ વ્યાપી બંધને સમર્થન કરી અને ઉપલેટા
મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યા આવેદનપત્રમાં જણાવ્યું કે સરકારમાં આ સમક્ષ વેપારીઓની માંગને રજૂઆત કરવા પણ જણાવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યું કે, સોનાના દાગીનામાં હોલમાર્ક કરવામાં કોઇ પણ વાંધો કે તકરાર નથી,
પરંતુ હોલમાર્કની સાથે જે સરકારે ઇં.ઞ.ઈં.ઉ. કરવાનો નિયમ લગાડ્યો છે તેનાથી દરેક જ્વેલર્સને વેપાર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે, કારણ કે ઇં.ઞ.ઈં.ઉ. ની પ્રક્રિયા કરવામાં હોલમાર્કિંગ સેન્ટરને પાંચથી દસ દિવસ લાગી જવાની સાથે-સાથે
દરેક દાગીનાના પીસની વિગતો ઓનલાઇન પોર્ટલ પણ ચડાવવાની આવે છે ત્યારે દરેક જ્વેલર્સની પ્રાઈવેસી જોખમાઈ છે તેમની પણ ચિંતા વ્યક્ત કરી હતી અને આટલી બધી લાંબી પ્રક્રિયાને પહોંચી શકે તેમ નથી
સાથે આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ નાની ભૂલ થાય તો તેમાં લાયસન્સ રદથી લઈને દંડ સુધીની પણ જોગવાઈ છે ત્યારે જ્વેલર્સને કામ કરવું અને વેપાર કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ ઉભી થાય છે તેવું જણાવ્યું છે
Read About Weather here
તેથી ઉપલેટાના સોના-ચાંદી એસોસિએશનના વ્યાપારીઓ દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધની સાથે-સાથે દેશ વ્યાપી બંધને સમર્થન કરી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.(7.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here