રૂમ પાર્ટનર બહારથી આવતા યુવાન લટકતો હતો, આપઘાતનું કારણ અકબંધ
શહેરના મવડી વિસ્તારમાં આવેલા ઉદયનગરમાં રૂમ રાખી નોકરી કરતા મૂળ રામોદના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
જાણવા મળતી વિગત મુજબ મુળ કોટડા સાંગાણીના રામોદ ગામનો અને હાલ રાજકોટમાં ઉદયનગર શેરી નં.-6માં રૂમ રાખી મિત્ર સાથે રહેતો જેનીલ પરેશભાઈ વઘાસીયા (ઉ.વ.21) નામના યુવાને ગઈ કાલે પોતાની રૂમ ઉપર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો તેનો રૂમ પાર્ટનર બહારથી રૂમ ઉપર આવ્યો ત્યારે જેનીલ લાકતો હોય જેને ઉતારી 108ને જાણ કરતા 108ના સ્ટાફે મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી.
Read About Weather here
માળવીયાનગર પોલીસ મથકના પીએસઆઈ બી.વી.રાણા અને પ્રશાંતસિંહે પ્રાથમિક કાગળો કરી મૃતદેહને પી.એમ.માં ખસેડી તપાસ હાથ ધરી છે. જેનીલના માતા-પિતા રામોદ રહેતા હોય જેને જાણ કરી છે હાલ તો આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જયારે યુવાન પુત્રના મોતથી પટેલ પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here