ઈશ્ર્વરીયા પાર્ક આવતીકાલથી 1 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

ઈશ્ર્વરીયા પાર્ક આવતીકાલથી 1 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
ઈશ્ર્વરીયા પાર્ક આવતીકાલથી 1 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

જન્માષ્ટમી તહેવારો શરૂ થઇ ગયા છે. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન જામનગર રોડ પર આવેલ ઈશ્વરીયા પાર્ક આવતીકાલે તા.28 થી 1 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ઈશ્વરીયા પાર્કનાં મેનેજરની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

જણાવ્યા મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટના તા. 17, ઓગસ્ટ – 2021 ના જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે ઠઇંઘ દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાસોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. 

Visit Saurashtra Kranti Homepage here

હાલમાં વિશ્વમાં તથા દેશમાં પ્રવર્તી રહેલી કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઇ રાજ્યમાં કોરોના વાઇરસનો ફેલાવો ન થાય તે માટે ઉપરોક્ત જાહેરનામાથી મળેલ સૂચનાઓ અન્વયે તકેદારીના પગલારૂપે વધારે સંખ્યામાં વ્યક્તિઓને એકત્રિત થવાની મનાઇ ફરમાવેલ છે.

ઇશ્વરિયા પાર્કમાં સહેલાણીઓ દ્વારા ખૂબ જ વધુ માત્રામાં મુલાકાત લેવાતી હોય જેને ધ્યાને લઇ કોરોનાની મહામારી વધુ ન ફેલાય તે માટે આવતીકાલે 28 થી તા. 1 સપ્ટેમ્બર સુધી

Read About Weather here

જન્માષ્ટમીના તહેવારો દરમિયાન જાહેર હિતાર્થે ઈશ્વરીયા પાર્ક સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવનાર છે. જેની તમામ સહેલાણીઓને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here