સંજય દત્તે કહ્યું હતું કે મારો આ રોલ જોખમી હોવાની સાથે સાથે મજેદાર પણ છે. કેજીએફ-૨માં જબરદસ્ત વિલનના રોલમાં દેખાયેલો સંજય દત્ત હવે શમશેરામાં પોલીસના રોલમાં દેખાશે. શુધ્ધસિંહ નામનું તેનું આ પાત્ર અત્યંત ક્રુર છે. ચાહકો વધુ એક વખત સંજયને ભયાનક વિલનના રોલમાં જોઇ શકશે.
![આ પાત્ર જોખમી હોવાની સાથે મજેદાર પણ છેઃ સંજય દત્ત સંજય](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
![આ પાત્ર જોખમી હોવાની સાથે મજેદાર પણ છેઃ સંજય દત્ત સંજય](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti Homepage here
રણબીર કપૂર ડબલ રોલમાં અને વાણી કપૂર પણ લીડ રોલમાં દેખાશે. આદિત્ય ચોપડા નિર્મીત અને કરણ મલ્હોત્રા નિર્દેશીત આ ફિલ્મની સ્ટોરી કાઝા નામના એક કાલ્પનિક શહેરની છે જ્યાં લોકો ગુલામીભર્યું જીવન પસાર કરવા માટે લાચાર હોય છે અને શુદ્ધ સિંહ તેમના પર અત્યાચાર ગુજારે છે.
Read About Weather here
બાવીસ જુલાઈએ રિલીઝ થનારી આ ફિલ્મમાં પોતાના રોલ વિશે સંજય દત્તે કહ્યું કે ‘હું એક એક્ટર છું અને જો મને સ્ક્રિપ્ટ અને પાત્રમાં ભરોસો હોય તો હું બધું જ ડિરેક્ટર પર છોડી દઉં છું. જ્યાં જરૂર પડી હતી ત્યાં મેં સલાહ આપી હતી. એ કારણે આ પાત્રને વધુ સારી રીતે નિખારી શકાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here