અમદાવાદના 2008ના રમખાણો માટે પાવાગઢ અને કર્ણાટકના જંગલોમાં આતંકી તાલીમ કેમ્પો યોજાયા હતા. 2002ના ગોધરાકાંડ પછી ગુજરાત સહિત સમગ્ર દેશમાં આતંકી ગતિવિધિઓ તેજ બની. ગોધરાકાંડના નામે માસૂમ યુવાનોને ટાર્ગેટ કરીને તે સમયે તેમને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં (PoK) ટ્રેનિંગ માટે મોકલાતા હતા. જો કે, સમય જતાં આ મોડ્યુલ બદલાયું અને લોકલ ટ્રેનિંગ કેમ્પ અસ્તિત્ત્વમાં આવ્યા.
Visit Saurashtra Kranti Homepage here
જો કે, ત્યારબાદ યાસિન ભટકલે ઈન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના કરતાં ઈ-મેઈલ ડ્રાફ્ટથી કોમ્યુનિકેશન અને સિંગલ ID- પાસવર્ડની સિસ્ટમનો ત્રાસવાદીઓ ઉપયોગ કરતા થયા. એ પછી ત્રાસવાદ માટેનું પ્લાનિંગ-કોમ્યુનિકેશન વર્ચ્યુઅલ બનતું ગયું અને હવે કિશન ભરવાડ હત્યાકાંડની તપાસે નવા મોડ્યુલ પરથી પડદો ઊંચક્યો છે. હવે ત્રાસવાદીઓ સોશિયલ મીડિયાની રિમોટ એપ અને ગેમિંગ ટૂલ પર કોમ્યુનિકેશન કરે છે અને ચેટ તુરત ડિલિટ પણ કરે છે.
Read About Weather here
વર્ષ 2009માં અમદાવાદના મણિનગરમાં બે પોલીસ કર્મીની ગોળી મારી હત્યા કરાઈ હતી. આ કેસમાં હૈદરાબાદના વિકરુદ્દીન નામના એક શખ્સની ધરપકડ કરાઈ હતી. તે અને તેના સાથીઓ અલગ અલગ શહેરમાં લૂંટ કર્યા બાદ તે રકમનો આતંકી પ્રવૃત્તિમાં ઉપયોગ કરતા હતા. પોલીસ કર્મીઓની હત્યા લૂંટના ઇરાદે નહી પણ આતંકી મોડ્યુલના ભાગરૂપે કરાઈ હતી.તેની પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીને જાણવા મળ્યું કે તે DJS નામના આતંકી સંગઠન સાથે તે જોડાયેલો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here