સરકારે આ માહિતી આપી. ગુરૂવારે લોરોમ પ્રાંતમાં કાફલા પર થયેલા ભીષણ હુમલાને પગલે સરકારના પ્રવકતા અલ્કાસોમ મૈગાએ બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
ઇસ્લામિક આતંકવાદીઓએ ગયા અઠવાડિયે ઉત્તરી બુર્કિના ફાસોમાં એક હુમલામાં ૪૧ લોકોની હત્યા કરી હતી, જેમાં દેશની સૈન્યને ટેકો આપતી સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણી નેતાનો સમાવેશ થાય છે
પીડિતોમાં સૌમૈલા ગણમનો પણ સમાવેશ થાય છે, જેને લાડજી યોરો તરીકે પણ ઓળખવામાં આવે છે. બુર્કિના ફાસોના પ્રમુખ રોચ માર્ક ક્રિશ્ચિયન કેબોરે જણાવ્યું હતું કે ગણમ તેમના દેશ માટે મૃત્યુ પામ્યા હતા અને ‘તે ચોક્કસપણે દુશ્મન સામે લડવાની અમારી અડગ પ્રતિબદ્ઘતાનું પ્રતીક હશે.
‘ આર્મ્ડ કોન્ફિલકટ લોકેશન એન્ડ ઈવેન્ટ ડેટા પ્રોજેકટના વરિષ્ઠ સંશોધક હેની નાસાઈબિયાએ જણાવ્યું હતું કે, બુર્કિના ફાસોની સૌથી મહત્વપૂર્ણ સ્વૈચ્છિક સંસ્થાના નેતાના મૃત્યુથી ગભરાટની લાગણી જન્મી છે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનામાં દેશના સુરક્ષા દળો પર થયેલા હુમલામાં ૫૦દ્મક વધુ લિંગમના મોત થયા હતા, જયારે જૂન મહિનામાં સોહલ ક્ષેત્રના ઓછામાં ઓછા ૬૦ લોકોની હત્યા કરવામાં આવી હતી.
Read About Weather here
નવેમ્બરના હુમલા બાદ હિંસા રોકવામાં અસમર્થતા વચ્ચે સરકારને પદ છોડવાના વિરોધનો સામનો કરવો પડ્યો.બુર્કિના ફાસો, એક સમયે શાંતિપૂર્ણ પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્રમાં હિંસાની ઘટનાઓ વધી રહી છે કારણ કે અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા હુમલામાં વધારો થયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here