આજીડેમ બગીચામાં ઘટેશ્વરની પટેલ પરણીતાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

સાસરિયા વિરુદ્ધ કરેલી ત્રાસ – દહેજની અરજીમાં મહિલા પોલીસ કોઈ કાર્યવાહી ન કર્યાના આક્ષેપ સાથે પરિણીતાએ ઝેર પીધું

રાજકોટના આજીડેમ બગીચામાં સાંજના સમયે ઘટેશ્વર વરિયામાં રહેતી પટેલ પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયા વિરુદ્ધ કરેલી અરજીમાં કોઈ કાર્યવાહી કરતી ન હોય, સાસરિયા અનહદ ત્રાસ દેતા હોવાના આક્ષેપ સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગતો મુજબ જામનગર રોડ પર ઘટેશ્વર ૨૫ વરિયામાં રહેતી મીનાક્ષી મોહિત રાંક ( ઉ.વ 30) એ ત્રણ મહિના પૂર્વે સસરા મનસુખ , સાસુ ભાનુબેન, જેઠ દિનેશભાઇ, જેઠાણી લીલાબેન, પતિ મોહિત રાંકના ત્રાસ આપ્યા અંગેની મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

Read About Weather here

આમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પતિ મોહિત રાંક દારૂ પી મારકુટ કરતો હોય, જ્યારે જમાદાર રાધિકાબેન માત્ર  નિવેદનો નોંધી કાર્યવાહી કરતા હોવાંના આક્ષેપ સાથે પટેલ પરિણીતાએ આજીડેમ બગીચામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here