અધિકારી- કર્મચારીઓની બદલી થવી જ જોઈએ

અધિકારી- કર્મચારીઓની બદલી થવી જ જોઈએ
અધિકારી- કર્મચારીઓની બદલી થવી જ જોઈએ

રાજકોટ મહાનગરપાલિકાનાં પદાધિકારીઓનો એક જ સૂર
શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને બિરદાવવી સન્માન કરવું જોઈએ

રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી ક્યાં કારણોસર નથી કરાઈ રહી તે એક ચર્ચાનો વિષય બની ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

અધિકારીઓ અને કર્મચારીઓની બદલીને લઈને સૌરાષ્ટ્રક્રાંતીએ પ્રસિધ્ધ કરેલા અહેવાલ બાદ ગણતરીની કલાકોમાં કેટલાક અધિકારી- કર્મચારીઓની આંતરિક બદલીનું લિસ્ટ જાહેર કર્યું હતું. આંતરિક બદલીથી ઘૂંઘવાટ થઇ રહ્યો છે. મહાનગરપાલિકામાં બિન વિવાહિત તેમજ સમક્ષ અધિકારીઓને મહત્વની જવાબદારી શા માટે સોંપવામાં આવતી નથી. તે એક ચર્ચાનો વિષય બની ગયો છે.

દેશના વિકસિત શહેરોમાં રાજકોટ શહેરનો સમાવેશ થાય છે. શહેરમાં સ્વચ્છતાનાં ગુણગાન ખૂબ ગવાઈ રહ્યો છે. પણ વાસ્તવિકતા ચિત્ર જુદી જ છે..! શહેરમાં રોડ-રસ્તા, શુધ્ધ પીવાનું પાણી, ગંદકી, ગેરકાયદેસર બાંધકામ સહિતનાં પ્રશ્નોની ફરિયાદો ઉઠી રહી છે. દેશના 1 થી 10 સ્વચ્છતા શહેરોમાં રાજકોટ શહેરનો સમાવેશ થયો નથી. રાજકોટ મહાનગરપાલિકામાં અધિકારીઓ અને કર્મચારીઓની વિશાળ ફૌજ હોવા છતાં ક્યાં કાચુ કપાયું તે બાબતે આત્મમંથન તો થવું જોઈએ.

સાથોસાથ જે વિભાગમાં ફરજ બજાવી રહેલા અધિકારીઓ-કર્મચારીઓની કામગીરીનો અહેવાલ તૈયાર કરી કામગીરીમાં નિષ્ફળ રહેલા અધિકારીઓ- કર્મચારીઓની બદલી કરી સમક્ષ અને બિન વિવાહિત અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપવી જોઈએ. તેમ શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

Read About Weather here

છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવી રહેલા અધિકારીઓ- કર્મચારીઓની બદલી ન થવા પાછળ કેટલાક નેતાઓનાં છૂપા આશિર્વાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
દેશના શહેરોમાં રાજકોટ શહેરનો પ્રથમ ક્રમાંકે તેમજ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીની નોંધ લેવાય તે માટે બિન વિવાહિત તથા સમક્ષ અધિકારીઓ અને કર્મચારીઓને મહત્વની જવાબદારી સોંપવી જોઈએ.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here