કપિલે શોના અગાઉના એપિસોડમાં પ્રધાનમંત્રી મોદીની મજાક ઉડાવી હતી. અક્ષય કુમાર કપિલ શર્મા શોમાં તેની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ના પ્રમોશન માટે નહીં આવે. એક્ટરે પોતે આ શોમાં જવાની ના પાડી દીધી છે.મીડિયા રિપોર્ટ્સના અનુસાર, અક્ષય આ જ કારણે કપિલથી નારાજ છે અને પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે શોમાં નથી જઈ રહ્યો.અક્ષય તેની છેલ્લી ફિલ્મ અતરંગી રેના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
આ દરમિયાન કપિલે અક્ષયના પ્રધાનમંત્રીવાળા ઈન્ટરવ્યુની મજાક ઉડાવી હતી. તેણે કહ્યું કે, પોતાના ઈન્ટરવ્યુમાં ફેમસ પર્સનાલિટીને કોણ પૂછે કે તમને કેરી કઈ રીતે ખાવી ગમે છે. હકીકતમાં 2019 લોકસભા દરમિયાન અક્ષયે પ્રધાનમંત્રી મોદીનો ઈન્ટરવ્યુ લીધો હતો. તેમાં તેણે PMને આ પ્રશ્ન પૂછ્યો હતો. શોમાં આ મજાક અક્ષયને બિલકુલ પસંદ ન આવી.અક્ષય હંમેશાં કપિલના જોક્સને એન્જોય કરે છે. તેણે ક્યારેય પોતાના જોક્સ અંગે ફરિયાદ નથી કરી, પરંતુ PMની મજાક ઉડાવવાનું તેને પસંદ ન આવ્યું.
Read About Weather here
મીડિયા રિપોર્ટ્સના અનુસાર, અક્ષયે શોના મેકર્સને PMવાળા પાર્ટને બ્રોડકાસ્ટ ન કરવાની વિનંતી કરી હતી. મેકર્સ માની પણ ગયા હતા, પરંતુ પછી આ ક્લિપને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવામાં આવી હતી. જેના પછી અક્ષયને ઘણો ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો.અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ના પ્રમોશનની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 18 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઘણા સમયથી આ ફિલ્મની રીલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ક્રિતી સેનન અને જેકલિન ફર્નાન્ડિઝ જોવા મળશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here