સદ્ભાવના વૃદ્ધાશ્રમના અનેકવિધ સેવાકીય કાર્યોમાં સૂચક પરિવાર સહભાગી બન્યો
વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વડીલો નિરાધાર બનતા જાય છે. સદ્ભાવના વૃધ્ધાશ્રમ આવા વડીલોને સાચવવાનું કાર્ય કરે છે.
Visit Saurashtra Kranti Homepage here
આ વૃદ્ધાશ્રમ ગુજરાતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધો પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામૂલ્યે આપવામાં આવે છે.
સદ્ભાવના વૃદ્ધાશ્રમને સૂચક પરિવાર દ્વારા લગ્ન પસંગે આવેલ ચાંલ્લાની રકમ આશ્રમના વૃદ્ધોની સેવા કરવા તેમજ વૃક્ષોના વાવેતર માટે, પર્યાવરણ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે આપવામાં આવી. 12 ફેબ્રુઆરીના રોજ સ્વ. વિનોદકુમાર સૂચક અને ફાલ્ગુનીબેન સૂચકના સુપુત્ર હર્ષિલ સૂચક અને અંજલિના લગ્ન બાદ સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. આ શુભ પસંગે પ્રાપ્ત થયેલ ચાંલ્લાની રકમનો ઉપયોગ સ્વ. હેમતલાલ સૂચક પરિવાર, વિમળાબેન સૂચક, ચંદ્રકાંતભાઈ સૂચક, ભાવનાબેન સૂચક, રાજેશભાઇ સૂચક, દિશાબેન સૂચક તથા સૂચક પરિવારે સેવાકીય કાર્યો માટે કર્યો છે.
Read About Weather here
સૂચક પરિવારનાં આ પ્રયાસે સમાજને સેવાકીય કાર્યો કરવા માટે એક નવો માર્ગ બતાડ્યો છે. એ બદલ સમગ્ર સંસ્થા તેમની આભારી છે તેમજ હર્ષિલ અને અંજલિના સુખમય લગ્ન જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે. આ પ્રસંગે સદભાવના વૃદ્ધાશ્રમના ધીરેન્દ્ર કાનાબાર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here