શહેરના નાણાવટી ચોક નજીક રિક્ષામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. યુવાનની હત્યા થઈ છે કે આત્મહત્યા કે પછી અન્ય કોઈ કારણોસર મોત નિપજ્યું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત વિગત મુજબ 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે પરમેશ્ર્વર ચોક નજીક રિક્ષામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ રેઢો મળી આવ્યો હતો. આથી ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં રિક્ષામાંથી મૃતદેહ મળ્યો તે રિક્ષામાં બે વ્યક્તિ આવ્યા હોવાનું સામે આવ્યું છે.
Read About Weather here
બે પૈકી એક યુવાનનો મૃતદેહ મળતા બીજા વ્યક્તિની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. બનાવ હત્યા કે આત્મહત્યાનો છે કે અન્ય કોઈ કારણોસર યુવાનનું મોત નીપજ્યું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ મૃતક યુવાનના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here