વહેલી સવારે ખડિયા ખાતેના આશ્રમે લમણા પર રિવોલ્વરમાંથી ગોળી છોડી કરી આત્મહત્યા
જૂનાગઢનાં ઝાંઝરડા સ્થિત ખેતલીયા દાદા આશ્રમના મહંત રાજભારતીબાપુએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રાજભારતીએ આજે વહેલી સવારે તેમના અન્ય આશ્રમ ખડિયા ખાતે રિવોલ્વરમાંથી લમણા પર ગોળી છોડીને આપઘાત કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
તેઓને ગંભીર હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ઓડિયો સવારે વાયરલ થયેલ. જેમાં તેઓ પ્રેમલાપનાં સંવાદ કરતા હોવાનું અને દારૂ પીતા હોવાનું જણાતું હતું. આ ઓડિયો અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં હડકંપ મચી ગયો હતો. રાજભારતી બાપુ સવારે તેમના ઝાંઝરડા ખાતેના આશ્રમ પર જાવા મળેલ નહિ. પરંતુ જૂનાગઢ નજીકના ખડિયા ખાતે આવેલ પોતાના અન્ય ઍક આશ્રમમાં વહેલી સવારે રાજભારતીબાપુઍ રિવોલ્વરમાંથી લમણા પર ગોળી છોડીને આપઘાત કરી લીધો હતો. તેમના આત્મઘાતી પગલા પાછળનું કારણ બહાર આવેલ નથી પરંતુ તેઓ ઓડિયો – વીડિયો વાયરલ થતાં ખિન્ન થયા હોય અને આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here