27 બાળકો સહિત લોકોના જીવ ગુમાવ્યા બાદ તંત્ર બાદ હવે શિક્ષણ વિભાગ પણ કદાચ નિદ્રા માંથી જાગ્યું હોઈ તેમ લાગી રહ્યું છે….

27 બાળકો સહિત લોકોના જીવ ગુમાવ્યા બાદ તંત્ર બાદ હવે શિક્ષણ વિભાગ પણ કદાચ નિદ્રા માંથી જાગ્યું હોઈ તેમ લાગી રહ્યું છે....
27 બાળકો સહિત લોકોના જીવ ગુમાવ્યા બાદ તંત્ર બાદ હવે શિક્ષણ વિભાગ પણ કદાચ નિદ્રા માંથી જાગ્યું હોઈ તેમ લાગી રહ્યું છે....

શિક્ષણ વિભાગ દ્વારા રાજયની તમામ યુનિવર્સિટી – કોલેજો પાસેથી ફાયર સેફટીના મુદ્દે રિપોર્ટ મંગાવાયો-તા.11 સુધીમાં ચકાસણી કરી વિગતો મોકલી આપવા તાકીદ

રાજકોટમાં ગેમઝોનની ઘટના બાદ હવે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ યુનિવર્સિટીઓ અને તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ ફાયર સેફટીની જોગવાઈ છે કે નહી તે અંગે ચકાસણી કરીને આગામી 11મી જૂન સુધીમાં જરૂરી પ્રમાણપત્ર સંબંધીત ઈ-મેઈલ પર મોકલી આપવા તાકીદ કરાઈ છે. કેવા પ્રકારની સંસ્થા માટે કેવી વ્યવસ્થા રાખવાની રહેશે તેની પણ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બહાર આવ્યા બાદ છેલ્લા કેટલાય સમયથી રાજયની તમામ સ્કુલોમાં ફાયર સેફટીને લઈને ચકાસણી શરૂ કરવામાં આવી છે. ફાયર સેફટીની વ્યવસ્થા ન ધરાવતી હોય તેવી સંસ્થાઓ સામે તવાઈ પણ લાવવામાં આવી રહી છે. ત્યાર બાદ હવે હાયર એજયુકેશન ડિપાર્ટમેન્ટે પણ તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રાજયની તમામ કોલેજો, ગ્રામ વિદ્યાપીઠ, સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટીઓને એક પરિપત્ર મોકલીને એવી તાકીદ કરાઈ છે કે, ફાયર એનઓસી મેળવવામાં આવી છે કે નહી, જો મુદત પુરી થઈ ચુકી હોય તો રીન્યુ કરાવી છે કે નહી તેની ચકાસણી કરવા પણ સૂચના અપાઈ છે. 9 મીટર કે તેનાથી ઓછી ઉંચાઈ ધરાવતી સંસ્થાઓની ઈમારતમાં લઘુતમ ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ તેની ચકાસણી કોલેજના આચાર્ય, નિયામક અને રજિસ્ટ્રારે કરવાની રહેશે. ફાયર સેફટી એકસપાયર થઈ છે કે નહીં તેની ચકાસણી પણ આજ હોદેદારોએ કરવાની રહેશે.