બ્રાઝીલમાં કુલ મૃતકોની સંખ્યા ૩,૦૦,૦૦૦ની નજીક પહોંચી
Subscribe Saurashtra Kranti here
દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝીલમાં કોરોના વાયરસની ઘાતક ઝડપ આખી દૃુનિયાની ચિંતા વધારી રહી છે. અહીં પહેલીવાર એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણથી ૩૦૦૦ હજારથી વધારે લોકોના મોત થયા છે. ગત કેટલાક અઠવાડિયાઓથી બ્રાઝિલ આખી દૃુનિયામાં દરરોજ કોરોના વાયરસથી થઈ રહેલા મોતના મામલે ટોચના સ્થાને છે. મંગળવારના બ્રાઝીલમાં ૩,૨૫૧ લોકોના મોત થયા છે. બ્રાઝિલના સૌથી વધારે વસ્તીવાળા રાજ્ય સાઓ પાઉલોમાં ૧,૦૩૧ લોકોના મોત થયા છે, જે ગત વખતની સર્વાધિક સંખ્યા ૭૧૩ની તુલનામાં ઘણા વધારે છે.
ગત વર્ષે જુલાઈમાં અહીં કોવિડ-૧૯થી ૭૧૩ લોકોના મોત થયા હતા. મહામારીએ બ્રાઝીલની સ્વાસ્થ્ય પ્રમાણીઓને લગભગ ધ્વસ્ત કરી દીધી છે. હૉસ્પિટલોમાં આઈસીયૂ બેડ અને ઑક્સિજનના ભંડારની કમી છે. હાલના દિવસોમાં મોટાભાગના રાજ્યોએ ગતિવિધિઓને પ્રતિબંધિત કરી છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ મહામારીની ગંભીરતાને મહત્વ ના આપતા કહૃાું છે કે અર્થવ્યવસ્થા ચાલું રાખવી જોઇએ, જેથી તેની સ્થિતિ ખરાબ ના થાય. તેમણે સ્થાનિક નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા સ્વાસ્થ્ય સંબંધી પગલાંઓની તુલના પણ કરી.
Read About Weather here
શુક્રવારના તેમણે ૨ રાજ્યો અને બ્રાઝિલના સંઘીય જિલ્લા દ્વારા લાગુ કરવામાં આવેલા કર્ફ્યુંને અમાન્ય કરવા માટે સુપ્રીમ કૉર્ટમાં અપીલ કરી. જો કે ટોચની અદાલતે પહેલા ચુકાદો સંભળાવ્યો હતો કે ગવર્નર અને મેયરને આ પ્રકારના પ્રતિબંધ લગાવવાનો અધિકાર છે. જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટી પ્રમાણે, બ્રાઝીલમાં કુલ મૃતકોની સંખ્યા ૩,૦૦,૦૦૦ની નજીક પહોંચી ગઈ છે, જે કોવિડ-૧૯થી થનારા મોતના સંબંધમાં અમેરિકા બાદ દૃુનિયામાં બીજા સ્થાન પર છે. મોત અને સંક્રમણના મામલે અમેરિકા પણ ટોચ પર છે, જ્યારે ભારતનું સ્થાન દૃુનિયામાં ત્રીજુ છે. વેક્સિનેશન બાદ પણ કોરોનાની વધતી ઝડપે દૃુનિયાની ચિંતા વધારી દીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here