પૂરની વિભિષકાના કારણે આ ધન સંસાધનના અભાવમાં મજબુરીઓ લોકોને કેવા લાચાર બની જાય છે તેની આ જીવતી જાગતી તસ્વીર છે.પલીયામાં પુરથી રસ્તો બંધ થઈ જવાથી ખિસ્સામાં પૈસા હોવા છતાં એક ભાઈને તેની બહેનના મૃતદેહને ખભે નાખીને પાંચ કિલોમીટર સુધી ચાલવુ પડયુ હતું.
![કાળજું કંપાવતી ઘટના : વાહન ન મળતાં ભાઈ બહેનના મૃતદેહને ખભે નાખી ચાલી નિકળ્યો ભાઈ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
તેણે ન તો પ્રશાસન પાસે મદદ માગી હતી કે ન તો કોઈ અન્ય પાસેથી ખરેખર તો ગુરૂવારે લખીમપુર ખીરીમાં એક એવો વિડીયો વાયરલ થયો હતો. જેણે સૌ કોઈના દિલને ખળભળાવી નાખ્યા હતા. વાયરલ વિડીયોમાં એક ભાઈ પલિયાનાં અતરીયા રેલવે ટ્રેકનાં કિનારે પોતાની પત્નિના મૃતદેહને ખભા પર નાખીને રેલ લાઈનના કિનારે પગપાળા ચાલતો જોવા મળે છે.
![કાળજું કંપાવતી ઘટના : વાહન ન મળતાં ભાઈ બહેનના મૃતદેહને ખભે નાખી ચાલી નિકળ્યો ભાઈ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
સ્થાનિક લોકોના પૂછવા પર તેણે જણાવ્યું હતું કે આઠ દિવસ પહેલા તેની બહેનને ટાઈફોઈડ થઈ ગયો હતો.પાલીયાની એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.દરમ્યાન બુધવારે શારદા નદીના પૂરનું પાણી પલીયામાં ઘૂસી ગયુ હતું અને શહેરમાંથી નીકળવાના બધા રસ્તા બંધ થઈ ગયા હતા.
મજબૂરીમાં બહેનની સારવાર કરાવવા બીજી હોસ્પિટલમાં પણ ન લઈ જઈ શકાય. ગુરૂવારે બહેનની મોત થવા પર જયારે કોઈ વાહન ન મળ્યુ તો બન્ને ભાઈ બહેનનુ શબ ખભે નાખીને ગામથી નીકળ્યા હતા. બીજી બાજુ પલીયાનાં એસડીએમ કાર્તિકેયસિંહનું કહેવુ છે કે પીડિત પરિવારે જો પ્રશાસનની મદદ માંગી હોત તો જરૂર અપાઈ હોત.
Visit Saurashtra Kranti E-paper here