હૈદરાબાદના સિકંદરાબાદમાં ગુરુવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. અહીં એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી, જેમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે કહ્યું કે અમને છ લોકોના મોતની જાણકારી મળી છે. તેમણે કહ્યું કે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. હૈદરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ બાદ જ મોતનું કારણ જાણી શકાશે.
Visit Saurashtra Kranti Homepage here
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે પીડિતો તેલંગાણાના વારંગલ અને ખમ્મમ જિલ્લાના રહેવાસી છે. આ લોકો એક માર્કેટિંગ કંપનીમાં કામ કરતા હતા, જેની ઓફિસ આ બહુમાળી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગ્યે બની હતી. બહુમાળી ઈમારતમાં આગ લાગ્યા બાદ ફાયરની 14 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here