દેશમાં સામાન્ય રીતે જાન્યુઆરી બાદ ડિસેમ્બર માસમાં વધુ અકસ્માતો નોંધાયા
વર્ષ 2021માં નોંધાયેલા માર્ગ અકસ્માતના કેસોની સંખ્યા અનુસાર, બપોરે 3 થી 9 વાગ્યાની વચ્ચેનો સમય ભારતના રસ્તાઓ પર ટ્રાફિક માટે સૌથી ખતરનાક સમય છે. તેમાં પણ ખાસ કરીને સાંજે 6 થી 9 વચ્ચેના ત્રણ કલાકના સમયગાળા દરમિયાન સૌથી વધુ અકસ્માત થયા છે.
Visit Saurashtra Kranti Homepage here
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક અહેવાલ- ‘ભારતમાં માર્ગ અકસ્માતો 2021’ અનુસાર, 2021માં દેશમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો સાંજના કલાકો દરમિયાન થતાં જોવા મળ્યા છે.સૌથી ઓછા અકસ્માતો મોડી રાતના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે થયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘સાંજે 6 થી 9 વાગ્યા વચ્ચેના સમયના અંતરાલમાં 2021માં સૌથી વધુ માર્ગ અકસ્માતો નોંધાયા હતા, જે દેશના કુલ અકસ્માતોમાં 20.7 ટકા હિસ્સો ધરાવે છે અને આ છેલ્લા 5 વર્ષમાં જોવા મળેલી પેટર્નને અનુરૂપ છે. અહેવાલ મુજબ અકસ્માતમાં સૌથી વધારે થતો હોય તે બીજો સમયગાળો બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યાની વચ્ચેનો હતો, જે માર્ગ અકસ્માતોમાં 17.8 ટકા હિસ્સો ધરાવે છે.
Read About Weather here
હાલમાં જ બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ડેટા મુજબ, બપોર અને સાંજ એ રસ્તા પર જવા માટેનો સૌથી ખતરનાક સમય છે. મોડી રાતના 12 થી સવારે 6 વાગ્યાની વચ્ચેના સમયમાં સૌથી ઓછા અકસ્માતો થયા છે.’
દુર્ઘટનામાં સૌથી વધુ માર્ગ અકસ્માત
2021માં દેશમાં કુલ 4,12,432 માર્ગ અકસ્માતો થયા હતા અને સૌથી વધુ 85,179 માર્ગ અકસ્માતો (20.7 ટકા) સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે થયા હતા, જ્યારે 73,467 અકસ્માતો (17.8 ટકા) બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યાની વચ્ચે થયા હતા. વર્ષ 2021માં માર્ગ અકસ્માતોના મહિનાવાર વિશ્ર્લેષણમાં જાણવા મળ્યું છે કે, જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ અકસ્માતો નોંધાયા હતા, ત્યારબાદ ડિસેમ્બર, નવેમ્બર અને ઓક્ટોબર આવે છે. જાન્યુઆરી 2021માં કુલ 40,305 અકસ્માતો નોંધાયા હતા, જેમાં 14,575 લોકોના મોત થયા હતા, એમ ડેટા જણાવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here