સુપ્રીમ કોર્ટેની ચેતવણી !

સુપ્રીમ કોર્ટેની ચેતવણી
સુપ્રીમ કોર્ટેની ચેતવણી

શુક્રવારે સુપ્રીમ કોર્ટેમાં દિલ્હી સરકારના વકીલ રાહુલ મેહરાએ કહૃાું કે ગઈકાલે (ગુરુવારે) દિલ્હીને ફક્ત ૫૨૭ મેટ્રિક ટન ઓક્સિજન મળ્યો છે

દિલ્હીને ઓક્સિજન સપ્લાઈને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચેતવણી આપતા કહૃાું કે, અમને આકરા નિર્ણય લેવા માટે મજબૂર ન કરો. દિલ્હીને દરરોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજનને લઈને સુપ્રીમ કોર્ટે આ વાત કહી છે. દિલ્હી સરકાર તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેમના આદેશ બાદ પણ દરરોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાઈ કરવામાં આવી રહી નથી. સર્વોચ્ચ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો કે, તેણે દિલ્હીને ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાઈ નક્કી કરવી પડશે. કોર્ટે કહૃાું કે, તેમણે આ સપ્લાઈ ત્યાં સુધી ચાલું રાખવી પડશે, જ્યાં સુધી આદેશની સમીક્ષા કરવામાં ન આવે કે કોઈ ફેરફાર ન કરવામાં આવે.

Subscribe Saurashtra Kranti here

શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી સરકારના વકીલ રાહુલ મેહરાએ કહૃાું કે ગઈકાલે (ગુરુવારે) દિલ્હીને ફક્ત ૫૨૭ મેટ્રિક ટન ઓક્સિજન મળ્યો છે. આ અંગે ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે કહૃાું કે ગત દિવસે કેન્દ્રને સોગંદનામું આપવામાં આવ્યું છે કે ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન પૂરા પાડવામાં આવ્યો છે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે દિલ્હીને માત્ર એક દિવસ નહીં પણ ૭૦૦ એમટી ઓક્સિજન મળવું જોઈએ. સમિતિનો અહેવાલ આવશે ત્યારે જોઈશું.

કોર્ટમાં કેન્દ્ર સરકારનો પક્ષ રાખી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાને બેંચે કહૃાુ, અમને કોઈ કડક નિર્ણય લેવા પર મજબૂર ન કરો. આદેશ છે કે દરરોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાઈ નક્કી કરે. આ પહેલા ગુરૂવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહૃાું હતું કે, દિલ્હીમાં કોરોના દર્દીઓની જરૂરીયાતો પૂરી કરવા માટે દરરોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન આપવો જોઈએ. કોર્ટે કહૃાું, જો કંઈ છુપાવવા માટે નથી તો પછી સરકાર આગળ આવી દેશને તે જણાવે કે કઈ રીતે કેન્દ્ર સરકાર તરફથી ઓક્સિજનની ફાળવણી કરવામાં આવી રહી છે.

Read About Weather here

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે દરરોજ રાજધાની માટે ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાઈની માંગ કરી છે. તેમનું કહેવું છે કે દિલ્હીને દરરોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન મળે છે તો તે નક્કી કરશે કે પ્રદેશમાં કોઈ દર્દીનું મોત ઓક્સિજનની કમીને કારણે ન થાય. અરવિંદ કેજરીવાલે ગુરૂવારે કહૃાુ, જો અમને ઓક્સિજન પૂરતો મળે છો તો પછી અમે દિલ્હીમાં ૯ હજારથી ૯૫૦૦ બેડની વ્યવસ્થઆ કરી શકશુ. અમે ઓક્સિજન બેડ તૈયાર કરી શકીશું. હું તમને લોકોને વિશ્ર્વાસ અપાવુ છું કે ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાઈ થવા પર દિલ્હીમાં ઓક્સિજનની કમીથી કોઈ દર્દીના મોત થશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here