કોરોનાની વિકરાળ પરિસ્થિતિને જોતા ભારતની મદદ કરવા આગળ આવ્યું પાકિસ્તાન
પાકિસ્તાને પોતાના દેશમાં વધતા કોરોના સંકટને છોડી હવે ભારતની મદદ કરવાની ઓફર કરી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન રજૂ કરીને કહૃાું કે તેઓ ભારતને વેન્ટિલેટર, ડિજિટલ એક્સરે મશીન અને પીપીઇ કિટ સહિત કેટલીય જરૂરી વસ્તુઓની નિકાસ કરવા માટે તૈયાર છે. થોડાંક દિવસ પહેલાં ઇમરાન ખાને પણ ટ્વીટ કરીને ભારતમાં કોરોનાને લઇ એકજૂથતા દેખાડી હતી.
Subscribe Saurashtra Kranti here
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહૃાું છે કે અમારી તરફથી કોવિડ-૧૯ની હાલની લહેરને જોતા ભારતના લોકોની સાથે એકજૂથતાના ભાવથી કોરોનાની વિરૂદ્ધ જંગમાં ઉપયોગ થનાર કેટલીક ખાસ સામગ્રીઓને મોકલવા માટે તૈયાર છે. નિવેદનમાં એમ પણ કહૃાું છે કે બંને દેશ વૈશ્ર્વિક મહામારીના લીધે ઉભા થયેલા પડકારોને નાથવા માટે આગળ ત્વરિત પુરવઠા માટે સહયોગની સંભવિત પદ્ધતિઓની સંભાવનાઓ ચકાસી શકે છે.
આ ઓફર પ્રધાનમંત્રી ઇમરાન ખાનના ભારતના લોકોની સાથે એકજૂથતા દેખાડ્યા બાદ કરી છે. તેમણે કહૃાું હતું કે આપણે માનવતાની સામે આવેલા આ વૈશ્ર્વિક પડકારોને મળીને લડવા પડશે. ઇમરાને કહૃાું હતું કે તેઓ પોતાના પાડોશી અને દૃુનિયાને આ મહામારીમાંથી ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહૃાા છીએ.
પાકિસ્તાનમાં શનિવારના રોજ રજૂ કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લાં ૨૪ કલાકમાં ૧૫૭ લોકોના સંક્રમણથી મોત થયા છે. પાકિસ્તાનમાં એક દિવસમાં થનાર મોતનો આ સૌથી મોટો આંકડો છે.
Read About Weather here
પાકીસ્તાનની રાષ્ટ્રીય સમન્વય સમિતિની એક બેઠક બાદ અવામને સંબોધિત કરતાં ઇમરાન ખાને કહૃાું કે હું તમને એસઓપીનું પાલન કરવાની અપીલ કરી રહૃાો છું જેથી કરીને આપણે એવા પગલાં ભરાવાની જરૂર ના પડે જે ભારત લઇ રહૃાું છે. તેનો મતલબ છે કે લોકડાઉન લાગૂ કરવાનો. જો તમે ફેસ માસ્ક પહેરો છો તો તેનાથી અડધી સમસ્યાનો ઉકેલ આવી જશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here