બિહાર, ઉતરાખંડ અને ઉતરપ્રદેશમાં ગઈકાલે રવિવારે ગંગા દશેરા ઉત્સવ નદીમાં ડૂબકી લગાવવા દરમિયાન કુલ 52 લોકોના મોત થયા હતા, જયારે અન્ય દુર્ઘટનાઓમાં 12 લોકોને જીવ ગુમાવવા પડયા હતા.
![ગંગા દશેરા ઉત્સવમાં 52 લોકોના મોત નિપજ્યા:જાણીયે સમગ્ર ઘટના અંગે... ગંગા દશેરા ઉત્સવ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે ગંગા દશેરાના પવિત્ર તહેવારો દરમિયાન બિહાર, ઉતરાખંડ અને ઉતરપ્રદેશમાં ગંગા નદીના તટ્ટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા.
![ગંગા દશેરા ઉત્સવમાં 52 લોકોના મોત નિપજ્યા:જાણીયે સમગ્ર ઘટના અંગે... ગંગા દશેરા ઉત્સવ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ગંગા નદી સહિત અન્ય નદીઓમાં પણ ગંગા દશેરા પર્વે શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. આ પર્વ દરમિયાન ડૂબી જવાથી કુલ 52 જેટલા શ્રદ્ધાળુઓના મૃત્યુ થયાના અહેવાલ છે, જયારે આ સ્થળોએ અન્ય દુર્ઘટનામાં 12 લોકોએ જીવ ગુમાવવો પડયો હતો.