કાશ્મીર મામલે ભારત-પાકિસ્તાન વચ્ચેનો વિવાદ વાતચીત દ્વારા ઉકેલી શકાય છે

pak-adhikari-jk-પાકિસ્તાન
pak-adhikari-jk-પાકિસ્તાન

Subscribe Saurashtra Kranti here

પાકિસ્તાન હાઇ કમિશન આફતાબ હસનનું નિવેદન

પાકિસ્તાનના હાઈ કમિશને મંગળવારે ભારત અને પાક.ના સંબંધોને લઈને મહત્વની વાત કરી હતી. પાક. હાઈ કમિશનના આફતાબ હસન ખાને જણાવ્યું કે, તેમનો દેશ પોતાના પાડોશીઓ સાથે સારા સંબંધ રાખવા માંગે છે. પાક. ઉચ્ચાયોગના કાર્યકારી ચીફ આફતાબ હસન ખાને કહૃાું કે, જમ્મુ કાશ્મીર મામલે ભારત અને પાક. વચ્ચેનો વિવાદ ફક્ત વાતચીત દ્વારા ઉકલી શકે છે.

પાકિસ્તાન પોતાના પાડોશીઓ સાથે સારા સંબંધ રાખવા ઈચ્છે છે. આ ફક્ત શાંતિ સાથે જ સંભવ થઈ શકશે અને તેના માટે પ્રબળ બનવું પડશે, મુદ્દાઓ વાતચીતના માધ્યમથી ઉકેલાવા જોઈએ, ખાસ કરીને ૭૦ વર્ષથી જમ્મુ કાશ્મીરનો મુદ્દો ચાલે છે તે.

એવું માનવામાં આવે છે કે, યુદ્ધના બદલે આપણે ગરીબી અને નિરક્ષરતાના અંત માટે કામ કરીએ. શાંતિ હશે ત્યારે જ તે સંભવ બનશે. માટે બંને દેશ વચ્ચેના વિવાદને શાંતિ સાથે વાતચીતના માધ્યમથી ઉકેલવો જોઈએ.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન છેલ્લા કેટલાક દિવસથી ભારત સાથે વાતચીત કરવા કહી રહૃાું છે. પાક.ના વડાપ્રધાન ઈમરાન ખાન પણ અનેક વખત ભારત સાથે શાંતિની વાત કરી ચુક્યા છે. ઉપરાંત પાક.ની આર્મીના ચીફ જનરલ કમર બાજવા પણ ભારતને સતત જૂની વાતો ભૂલવા કહી રહૃાા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here