’હમકો તો બસ તલાશ નએ રાસ્તો કી હે..: સંજય રાઉતના ટ્વિટથી હલચલ

    sanjay-raut-સંજય-TWEET
    sanjay-raut-સંજય-TWEET

    Subscribe Saurashtra Kranti here.

    સંજય રાઉતે ગીતકાર જાવેદ અખ્તરની એક શાયરીને ટ્વીટ કરી

    સંજય રાઉત

    એન્ટીલિયા કેસની તપાસની આંચ હવે મહારાષ્ટ્ર સરકાર સુધી પહોંચી ગઈ છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે વસૂલી ટાર્ગેટને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે જેથી ઉદ્ધવ સરકારમાં ગૃહમંત્રી અનિલ દેશમુખની ખુરશી જોખમમાં આવી ગઈ છે. ઉપરાંત મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં પણ હલચલ વ્યાપી છે. આ બધા વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે સવારે આ કેસને લઈને શાયરાના અંદાજમાં ટ્વીટ કરી છે.

    રાઉતે ગીતકાર જાવેદ અખ્તરની એક શાયરીને ટ્વીટ કરીને લખ્યું હતું કે, ’શુભ પ્રભાત, અમને તો ફક્ત નવા રસ્તાની તલાશ છે, અમે એવા મુસાફર છીએ જે મંજિલથી આવ્યા છીએ.’

    રાઉતનો શેર-શાયરી મારફતે સંદેશ આપ્યો હોય તેવું કહીં પહેલીવાર નથી. જ્યારે જ્યારે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણ ચાલી રહી હોય ત્યારે ત્યારે તેમનો શાયરાના અંદાજ સામે આવે છે. રાઉતના વર્તમાન ટ્વિટનો શું અર્થ તેઓ રાઉત પોતે જ જાણે. પરંતુ હાલ તો પાર્ટીની સત્તાવાર પ્રતિક્રિયા તો એ જ છે કે મહા વિકાસ અઘાડી સરકાર આ મુદ્દે ચર્ચા કરશે.

    Read About Weather here

    હકીકતે આ કેસમાં સચિન વાજે અને મુંબઈ પોલીસના અધિકારીઓ વચ્ચે ફરી રહેલી તપાસની સોય હવે મહારાષ્ટ્ર સરકાર સુધી પહોંચી શકે છે. તેનું કારણ તાજેતરમાં જ મુંબઈ પોલીસના કમિશનર પદેથી ટ્રાન્સફર કરવામાં આવેલા પરમવીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને જે ચિઠ્ઠી લખી તે છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here