સુપ્રસિદ્ધ અંબાજીમાં એક માઈભક્તે મંદિર ખાતે ૫,૧૧,૦૦૦ રૂપિયાનો ચેક અર્પણ કર્યો

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાજીના દર્શને દૃુનિયાભરમાંથી ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂરી થતાં હરખભેર માતાજીના મંદિરમાં ખુલ્લા દિલથી દાન આપતા હોય છે. મા અંબાના મંદિરનું શિખર ગુજરાત જ નહીં સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેંદ્ર માટે વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહૃાા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહૃાું છે. આ દરમિયાન ઘણાં માઈભક્તો સોના અને ચાંદીનું યથાશક્તિ પ્રમાણે દાન કરી ચૂક્યા છે. દાતાઓ દ્વારા દાન આપવાનો પ્રવાહ અવિરત ચાલુ જ છે. એ જ શ્રૃંખલામાં શક્તિપીઠ અંબાજી મંદિરને એક માઈભક્તે મોટું દાન આપ્યું હોવાના સમાચાર મળી રહૃાા છે.

અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે પાંચ લાખ અગિયાર હજાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના નિલેશભાઈ જનુભાઈ પટેલે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ ચાલું છે, ત્યારે તેમણે મંદિર ખાતે ૫,૧૧૦૦૦ રૂપિયાનો ચેક અર્પણ કર્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટને નિલેશભાઈ જનુભાઈ પટેલે ચેક દ્વારા દાન આપ્યું છે. જાણવા મળી રહૃાું છે કે નિલેશકુમારના દાદી સ્વર્ગવાસ થયા હોવાથી તેમણે અંબાજી ખાતે દાન કર્યું છે. અત્યાર સુધીમાં ૬૧ ફૂટ સુવર્ણ શિખરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.

તાજેતરમાં જ એક દાતાએ માતાજીના શિખર માટે ૧ કિલો ૧૦૦ ગ્રામ સોનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને દાન કર્યું હતું, જેની કિંમત ૫૧,૫૪,૬૦૦ રૂપિયા થતી હતી. અંબાજી મંદિર દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી પ્રમાણે, અત્યાર સુધીમાં ૬૧ ફૂટ સુવર્ણ શિખરની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં ૧૪૦ કિલો ૪૩૫ ગ્રામ સોનું અને ૧૫,૭૧૧ કિલોગ્રામ તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, હાલ સુવર્ણ યોજના-૨ હેઠળ સોનાના દાનનો સ્વીકાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેને યાત્રિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહૃાો છે. ભક્તોની મદદથી મા અંબાનું મંદિર જલદી જ સુવર્ણનું બનશે તેવી આશા સેવાઈ રહી છે.