સાંસદ મોહન ડેલકર હત્યાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે એસઆઇટીની રચના કરી

સ્યુસાઇડ નોટમાં પ્રફુલ્લ પટેલ અને ભાજપ નેતાઓના નામથી ખળભળાટ મચ્યો

પ્રફુલ્લ પટેલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી: સ્યુસાઈડ નોટમાં આરોપ

સાંસદ મોહન ડેલકરની સ્યુસાઈડ નોટમાં દાદરા અને નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ ખોડા પટેલ તથા ભાજપના બીજા નેતાઓના નામ સામે આવતા ખળખળાટ મચ્યો છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે વિધાનસભામાં જણાવ્યું કે મોહન ડેલકરે તેમની સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે તેઓ મુંબઈમાં આપઘાત કરી રહૃાાં છે કારણ કે તેમને લાગતું હતું કે ફક્ત મહારાષ્ટ્ર સરકાર તેમને ન્યાય અપાવી શકશે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના મોત કેસની તપાસ સીટ પાસે કરાવવાની જાહેરાત કરી છે. મોહન ડેલકરે સ્યુસાઈડ નોટમાં ઘણા ભાજપ નેતાઓ અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના જણાવ્યાનુસાર મોહન ડેલકરે તેમની આપઘાતની નોટમાં લખ્યું હતું કે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ તેમની પારાવાર હેરાનગતિ કરી રહૃાાં છે અને તેઓ તેમને દબાણ કરી રહૃાાં છે.ડેલકરે કહૃાું હતું કે મને પ્રફુલ્લ પટેલ તરફથી સતત ધમકીઓ મળી રહી હતી. પ્રફુલ્લ પટેલ મને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી રહૃાાં હતા. ડેલકરની પત્ની અને પુત્રે પણ આ ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો.

ભાજપના નેતાઓના દબાણને કારણે સાંસદને આપઘાત કરવાની ફરજ પડી: શિવસેના સાંસદ

મોહન ડેલકર આપઘાત કેસની તપાસ સીટ દ્વારા કરાવવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે મહહારાષ્ટ્ર સરકારે સારુ પગલું ભર્યું છે.

ભાજપના કેટલાક નેતાઓના દબાણને કારણે સાંસદને આપઘાત કરવાની ફરજ પડી છે. તેમણે કહૃાું કે ખેદજનક છે કે કેન્દ્ર સરકારે બીજા આપઘાત કેસમાં સીબીઆઈ અને બીજી એજન્સીઓની તપાસમાં જે રીતે ઉતાવળ કરી તેવી ઉતાવળ મોહન ડેલકર કેસમાં કરાઈ નથી.