સરકારે ખેડૂત આંદોલન મુદ્દે લતા મંગેશકર-સચિનને અભિયાનમાં ધસેડવા ન જોઇએ

ખેડૂત આંદોલન ટ્વિટ સંગ્રામ:રાજ ઠાકરેના સરકાર પર પ્રહાર કર્યા

ખેડૂત આંદોલનના મુદ્દા અંગે ઘણી વિદેશ હસ્તિઓએ ટ્વિટ કર્યા, જેના અંગે દેશનું રાજકારણ પણ ગરમાયું છે. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ નેતા રાજ ઠાકરેએ પણ આ મુદ્દા અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહૃાું કે, સચિન અને લતા મંગેશકર જેવા ભારત રત્ન પ્રાપ્ત લોકોનો ઉપયોગ કરવો ખોટું હતું. આ બન્નેએ સમર્થનમાં ટ્વીટ નહોતું કરવાનું.

સરકારે ભારત રત્નથી સન્માનિત થયેલી આવી હસ્તિઓ પાસેથી સમર્થન મેળવીને તેમની પ્રતિષ્ઠાને દાવ પર ન લગાવવી જોઈએ.તેમના માટે અક્ષય કુમાર જેવી હસ્તિ તેમના આવા કાર્ય માટે પૂરતી છે.સરકારે આવા કામ માટે અક્ષય કુમાર જેવા વ્યક્તિનો સહારો લેવો જોઈએ.

સચિને ટ્વિટ કરી કહૃાું કે, આપણો દેશ તેની સમસ્યાઓનું સમાધાન કરવાનું જાણે છે અને બહારના લોકોને દેશના આંતરિક મામલામાં રસ લેવાની જરૂર નથી. સિચનનના આ ટ્વિટથી કેરળના ખેડૂત નારાજ થઈ ગયા છે. તેમણે લખ્યું કે, ભારતની સાર્વભૌમત્વ સાથે ચેડા ન કરી શકાય. વિદેશી દળો પ્રેક્ષક હોઈ શકે છે, પણ સહભાગી નહીં. ભારતને ભારતીયો જ ઓળખે છે અને તેઓ જ નિર્ણય કરશે. એક દેશ તરીકે એકજૂથ થવાની જરૂર છે.

પહેલા પણ ઠાકરેએ કહૃાું હતું કે, ક્રિકેટ સ્ટાર સચિન અને ગાયક કલાકાર લતા મંગેશકરે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહૃાાં છે. આ અભિયાનમાં સરકારે લતા મંગેશકર અને સચિન તેડુલકરને ઘસેડવાના નહોતા.