આદર્શ આચારસંહિતાના ભાગરૂપે ચુંટણી પંચે કાર્યવાહી કરીને સરકારી અને ખાનગી મિલકતો પરથી કુલ 2.25 લાખ જેટલા પોસ્ટર-બેનર સરકારી અને ખાનગી મિલકતો પરથી દુર કર્યા છે.
16 માર્ચથી 10 એપ્રિલ સુધીમાં રાજયમાં કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ 164984 તથા ખાનગી મિલકતો પરથી કુલ 60737 રાજકીય પ્રચારના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દુર કરવામાં આવી છે.