શનિ થી સોમ વાતાવરણ અસ્‍થિર બનશે, એકાદ બે દિ’ માવઠું

શનિ થી સોમ વાતાવરણ અસ્‍થિર બનશે, એકાદ બે દિ' માવઠું
શનિ થી સોમ વાતાવરણ અસ્‍થિર બનશે, એકાદ બે દિ' માવઠું

 આ સપ્તાહના અંતમાં વાતાવરણ અસ્‍થિર બનશે. શનિ થી સોમ એકાદ બે દિવસ કોઇ-કોઇ જગ્‍યાએ માવઠાની સંભાવના હોવાનું વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે ગત આગાહી આપી હતી તે મુજબ તા.૮ થી ૧૦ દરમ્‍યાન ગરમીનો માહોલ જોવા મળશે. જેની રેન્‍જ ૪૦ થી ૪૨ ડીગ્રી વચ્‍ચે રહેશે. તે અનુસંધાને રાજકોટ ૪૧.૭, અમદાવાદ ૪૧.૫, ભુજ ૪૧.૧, ગાંધીનગર આ બધા સેન્‍ટરો નોર્મલથી ત્રણ ડીગ્રી ઉંચા હતા. સુરેન્‍દ્રનગર ૪૧.૫ હતું જે નોર્મલથી બે ડીગ્રી ઉંચુ હતું. ઓવરઓલ સોૈરાષ્‍ટ્ર-ગુજરાત-કચ્‍છમાં નોર્મલથી બે થી ત્રણ ડીગ્રી તાપમાન ઉંચુ હતું.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે  તા.૧૧ થી ૧૭ એપ્રિલ સુધીની આગાહી આપતા જણાવેલ કે આગાહી સમયગાળા દરમ્‍યાન પવન મુખ્‍યત્‍વે પશ્‍ચિમ અને ઉતર પશ્‍ચિમ દિશાના રહેશે. જો કે અમુક દિવસ પવનમાં ફેરફાર થશે. એકાદ દિવસ ઉતરમાંથી અને એકાદ દિવસ દક્ષિણ દિશામાંથી ફુંકાશે. પવનની ગતિ નોર્મલ રહેશે. પરંતુ સાંજના સમયે ઝાટકાના પવન અમુક દિવસ ૨૦ થી ૩૦ કિ.મી.ના ફુંકાશે.

વેસ્‍ટર્ન ડિસ્‍ટબન્‍સના લીધે વાતાવરણમાં તા.૧૩ થી ૧૫ એપ્રિલ દરમ્‍યાન અસ્‍થિરના સર્જાશે. જેથી સોૈરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં કોઇ-કોઇ વિસ્‍તારમાં એકાદ બે દિવસ માવઠારૂપી ઝાપટાની શકયતા છે.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રી ગણાય. તા. ૧૪ એપ્રિલ સુધી સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલથી ઉંચુ જ રહેશે. જેની રેન્‍જ ૩૯ થી ૪ર ડીગ્રી રહેશે.

તા. ૧પ થી તાપમાન ફરી વધવાની શકયતા છે. જેની રેન્‍જ ૪૦ થી ૪ર ડીગ્રી વચ્‍ચે જોવા મળશે. અને તા. ૧૬, ૧૭ એપ્રિલ દરમ્‍યાન ગરમી વધુ વધશે જે ૪૧ થી ૪૩ ડીગ્રીની રેન્‍જમાં આવી જશે અમુક સેન્‍ટરો ૪૩ ડીગ્રીને પણ વટાવી જાય.