![વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળ્યો વંદો,ગ્રાહકે કરી ફરિયાદ વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળ્યો વંદો,ગ્રાહકે કરી ફરિયાદ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ગુજરાતમાં ઘણી વાર ખાદ્ય વસ્તુઓમાં જીવડાં નીકળવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના વધુ એક વાર સામે આવી છે. વડોદરાની એક રેસ્ટોરેન્ટમાં ભોજનમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ ગ્રાહકે ફરિયાદ કરતા સ્ટાફે દાદાગીરી કર્યાનું સામે આવ્યુ છે.
વડોદરામાં વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે. ગ્રાહકે ફરિયાદ કરતા સ્ટાફે દાદાગીરી કરી હતી. ભોજનમાંથી વંદો નીકળતા મહિલા ગ્રાહક દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. સ્ટાફ દ્વારા ગેરવર્તણૂકને કારણે 100 નંબર પર ફોન કરવામાં આવ્યો હતો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરી યોગ્ય કાર્યવાહીની માગ કરવામાં આવી છે.