મ્યાનમારમાં સત્તાપલટાના વિરોધમાં ડોક્ટરો વિરોધમાં ઉતર્યા


મ્યાંમારમાં સેના દ્વારા લશ્કરી બળવો કરવામાં આવ્યો છે. સેનાએ દૃેશના શાસક અને રાષ્ટ્રપતિની ધરપકડ કરીને સત્તાપલટો કર્યો છે. સેનાએ કરેલા આ સત્તાપલટાની આખા વિશ્ર્વમાં ટીકા થઇ રહી છે. તો મંયાંમારની જનતા પણ આ સત્તાપલટાના વિરોધમાં રસ્તા પર ઉતરી છે. દરેક જગ્યા પર ભારે વિરોધ પ્રદર્શનો ચાલી રહૃાા છે. ત્યારે હવે જનતાની સાથે મ્યાંમારના ડોક્ટરો પમ આ પ્રદર્શનમાં જોડાયા છે. સત્તાપલટના વિરોધમાં મ્યાંમારના ૩૦ શહેરોની ૭૦ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા સત્તાપલટાના વિરોધમાં કામ બંધ કરી દેવામાં આવ્યું છે.

આ સત્તાપલટનો વિરોધ કરી રહેલા એક સમુહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે સેનાએ કોરોના વાયરસ મહામારી દરમિયાન પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકો ઉપર પોતાના હિતોને થોપ્યા છે. મ્યાંમારની અંદર અત્યાર સુધીમાં કોરોના વારયરસના કારણે ૩૧૦૦ કરતા પણ વધારે લોકોના મોત થયા છે. પ્રદર્શન કરી રહેલા લોકે કહૃાું કે અમે આવા સૈન્ય શાસનના કોઇ પણ આદેશને માનીશું નહીં. આ ઘટનાથી ખબર પડે છે કે દેશના ગરીબો અને દર્દીઓ પ્રત્યે સેનાને કોઇ સન્માન નથી.

ડોક્ટરોએ જણાવ્યું કે જ્યારે સૈનિકો પોતાના સ્થાન ઉપર પરત જશે ત્યારે જ ડોક્ટરો પોતાના સ્થાને જશે. ઉલ્લેખનીય છે કે મ્યાંમારમાં સેનાએ સોમવારે સત્તા પર કબ્જો મેળવ્યો છે. દેશના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ કી અને રાષ્ટ્રપતિની ધરપકડ કરી છે. આ સિવાય અન્ય નેતાઓની પણ અટકાયત કરવામાં આવી છે. સાથે જ આખા દેશમાં એક વર્ષ સુધી ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે.