મોદી કેબિનેટ દ્વારા ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં PLI સ્કીમ લાગુ કરવાને મંજૂરી આપી

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

કેન્દ્રીય કેબિનેટે PLI સ્કીમ હેઠળ આને મંજૂરી આપી છે

Subscribe Saurashtra Kranti here

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલે પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી. મોદી કેબિનેટે ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં PLI સ્કીમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્રીય કેબિનેટે ફૂડ પ્રોસેિંસગના ક્ષેત્રમાં અંદૃાજે ૧૦,૯૦૦ કરોડ રૂપિયાની સબ્સિડી આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબીનેટે PLI સ્કીમ હેઠળ આને મંજૂરી આપી છે.

સ્કીમને લઇને કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કહૃાું કે આ નિર્ણયથી અંદાજે અઢી લાખ યુવાઓને રોજગાર મળશે. કેન્દ્ર સરકારનો પ્રયત્ન છે કે ભારતના ફૂડ બ્રાન્ડને દૃુનિયાની ઓળખ બનાવવામાં આવે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પ્રેસ કોન્ફોરન્સમાં કહૃાું કે આ નિર્ણયથી ખેડૂતોને લાભ મળશે. નવા કૃષિ કાયદા હેઠળ પણ ખેડૂતોને ઓપ્શન આપવામાં આવ્યા છે કે તે કોઇપણ પ્રકારની મંડીમાં પોતાનો પાક વેચી શકે છે. આ વિચાર પાછળ કોશિશ છે કે દેશમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવામાં આવે.

Read About Weather here

શું આ સ્કીમ કૃષિ કાયદાની હવે પછીની કડી છે, આની પર ગોયલે કહૃાું કે બન્નેને એક સાથે ન મિલાવો, ખેડૂતોના હિતમાં મોદી સરકાર અનેક નિર્ણય લઇ રહી છે. ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર માટે લેવામાં આવેલો આ નિર્ણય તેમાંનો એક છે.

પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી ગોયલે કહૃાું કે ભારતની બ્રાન્ડ દૃુનિયાભરમાં કેવી રીતે પહોંચી, જે ઇન્ટરનેશનલ ક્વોલિટીને પૂરી કરતો હોય, જ્યારે આવી પ્રોડક્ટ મળશે તો ખેડૂતોને મોટી સંખ્યામાં ફાયદો થશે અને રોજગારીનું સર્જન પણ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here