મૈત્રી કરાર કરનાર પરિણીતાએ સાથે રહેવાનો ઈન્કાર કરતા પ્રેમીનો આપઘાત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સુરેન્દ્રનગરમાં બનેલી ઘટનાથી ભારે ચકચાર
પ્રેમીકાએ પતિ સાથે મળી યુવકને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો પરિવારનો આક્ષેપ

સુરેન્દ્રનગરમાં રહેતા યુવક સાથે મૈત્રી કરાર કરનાર પરિણીતા સાથે રહેવાનો ઈન્કાર કરતાં પ્રેમી યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.

Subscribe Saurashtra Kranti here

પ્રેમીકાએ પતિ સાથે મળી યુવકને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમ પાસે રહેતા દશરથ ઉર્ફે જીગ્નેશ પાચાભાઈ રોજારા નામના 25 વર્ષના યુવકે બપોરના એકાદ વાગ્યાના અરસામાં રેલ્વે સ્ટેશન પાછળ આવેલી સીયુ શાહ સોસાયટીમાં ઝેરી દવા પી લીધી હતી.

યુવકને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજૂક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.

યુવકને સારવાર મળે તે પૂર્વે જ યુવકે દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.આ બનાવ અંગે પ્રાથમિક પૂછતાછમાં મૃતક દશરથ ઉર્ફે જીગ્નેશ ત્રણ ભાઈમાં નાનો અને અપરિણીત હતો અને મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો.

સુરેન્દ્રનગરમાં જ રહેતી રંજન નામની પરિણીતા સાથે આંખ મળી જતાં દશરથ ઉર્ફે જીગ્નેશને પ્રેમ સંબંધ બંધાયો હતો.

બન્નેએ પંદર દિવસ પૂર્વે જ મૈત્રી કરાર કર્યા હતા. બાદમાં પરિણીતાના પક્ષે ફરિયાદ નોંધાવતા દશરથ ઉર્ફે જીગ્નેશે રંજનને સમજાવી થોડા દિવસ પોતાના પતિ પાસે મોકલી હતી.

Read About Weather here

બાદમાં રંજને પ્રેમ સંબંધ નહીં રાખવા અને સાથે રહેવાનો ઈન્કાર કરતાં જીગ્નેશને લાગી આવતાં ઝેર પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here