માનસિક બીમારીથી કંટાળીને આત્‍મઘાતી પગલું ભર્યું

માનસિક બીમારીથી કંટાળીને આત્‍મઘાતી પગલું ભર્યું
માનસિક બીમારીથી કંટાળીને આત્‍મઘાતી પગલું ભર્યું

શેરીયાજ ગામની મહિલાએ માનસિક બીમારીથી કંટાળી જઈને ગળેફાંસો ખાઈને મોતને મીઠું કરી લેતા સમગ્ર ગ્રામ્‍ય વિસ્‍તારમાં અરેરાટી વ્‍યાપી ગઈ હતી. માંગરોળ તાલુકાના શેરીયાજ ગામે રહેતા ઉષાબેન ગોવિંદભાઈ ધારેચા ઉ. વ.૪૫ નામની મહિલા છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમાર હોય જેની દવા પણ ચાલુ હતી આમ છતાં બીમારીથી કોઈ રાહત નહીં મળતા આખરે કંટાળી જઈને ઉષાબેનએ ૧૧ એઙ્ઘિલના રોજ બપોરે ખેતરે ઢાળીયામાં દોરી વડે લટકીને ગળેફાસો ખાઈ જીવાદોરી ટુંકાવી દીધી હતી. આ અંગેની જાણ થતા માંગરોળ મરીન પોલીસે દોડી જઈને મહિલાના મળતદેહને પોસ્‍ટમોટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.