પ.બંગાળમાં જોયપુર વિધાનસભા સીટ પરથી ટીએમસીના ઉજ્જવલ કુમારની ઉમેદવારી રદ

પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જોયપુર વિધાનસભા બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર ઉજ્જવલ કુમારના નામાંકનને ચૂંટણી પંચે નામંજૂર કરી દીધું છે. કેમ તેમનું નામાંકન નામંજૂર કરાયું તેની વિગતો અત્યારે ઉપલબ્ધ નથી.

પશ્ર્ચિમ બંગાળ ૨૭ માર્ચથી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરશે. ૨૭ માર્ચથી આઠ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે અને ૨ મેના રોજ મતદાન યોજાશે. ૨૭ માર્ચે પ્રથમ તબક્કા દરમિયાન વિધાનસભાની ૩૦ બેઠકો પર મતદાન યોજાશે.